Monday, April 27, 2026

રવિવારે રિવરફ્રન્ટ પર અદાણી મેરેથોન 2023 યોજાશે, સવારે 4 વાગ્યાથી રિવરફ્રન્ટ બંધ રહેશે

spot_img
Share

અમદાવાદ : અદાણી અમદાવાદ મેરેથોનની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી ત્યારે તેની સાતમી આવૃત્તિ આ વખતે 26મી નવેમ્બરે યોજાશે. આ માટેની નોંધણી શરૂ થઈ ગઈ છે. આ વર્ષની મેરેથોન 26મી નવેમ્બરે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલા મનોહર રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક, પાલડી ખાતે શરૂ થશે અને તે જ સ્થળે સમાપ્ત થશે.આ દોડમાં 20 હજારથી વધુ લોકો અને 2500 સુરક્ષા જવાનો દોડશે.

રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક, પાલડી ખાતેથી મેરેથોન શરૂ થશે અને ત્યાં જ પૂરી થશે. દોડવીરો સવારે 5 વાગે ફ્લેગ ઓફ થયા બાદ ફૂલ મેરેથોન (42.195 કિમી), હાફ મેરેથોન (21.097 કિમી), 10 કિ.મી., 5 કિ.મી દોડશે. આ વખતે વિશેષ આમંત્રિત દિવ્યાંગો માટે 1 કિ.મી.ની વ્હિલચેર કેટેગરી પણ છે. દોડવીરોની સુરક્ષા અને ટ્રાફિક ડાયવર્ઝન માટે 1000 જેટલા પોલીસકર્મીઓ તૈનાત રહેશે. 400 જેટલા વોલેન્ટિયર્સ ઉપરાંત મેડિકલ નર્સિંગ સ્ટાફ પણ મેરેથોન સાથે જોડાયેલ રહેશે. અટલ બ્રિજની સામે મલ્ટીલેવલ પાર્કિંગ સહિત કુલ 2 પાર્કિંગની વ્યવસ્થા છે. દોડવીરોએ ટાઉનહોલ થઈ પાર્કિંગ સુધી પહોંચવાનું રહેશે, ત્યાંથી ચાલી સ્ટાર્ટિંગ પોઈન્ટ સુધી પહોંચી શકાશે.

મેરેથોનને કારણે સવારે 4 વાગ્યાથી અંજલિ ચાર રસ્તાથી આંબેડકર બ્રિજની નીચેથી પશ્ચિમ તરફનો સંપૂર્ણ રિવરફ્રન્ટ રોડ ઈવેન્ટ પૂર્ણ થવા સુધી બંધ રહેશે. સુભાષબ્રિજથી વાડજ સુધીનો જતો માર્ગ તથા શિલાલેખથી સુભાષબ્રિજ તરફ જતો માર્ગ એકતરફનો ભાગ મેરેથોન પૂર્ણ થવા સુધી બંધ રહેશે. પૂર્વમાં શિલાલેખ ચાર રસ્તાથી પિકનિક હાઉસ થઈ ડફનાળાથી આંબેડકરબ્રિજ સુધીનો રિવરફ્રન્ટ પૂર્વનો માર્ગ બંધ રહેશે. પશ્ચિમમાં લોકો અંજલિથી પાલડી-ઉસ્માનપુરાવાળા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી શકે છે.

મેરેથોનના રૂટ પર ઘણાં પોલીસકર્મીઓ એવા રહેશે જેઓ જરૂર પડે તો જે-તે દોડવીર કે અન્યને CPR ટ્રીટમેન્ટ આપી શકે. આ સિવાય મેરેથોનનાં રૂટ પર 15 (રોડની બંને તરફ) જેટલા હાઈડ્રેશન અને મેડિકલ પોઈન્ટ રહેશે. 9 જેટલી 108 એમ્બ્યુલન્સ આઈસીયુ જેવી વ્યવસ્થા સાથે તૈયાર રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...