Friday, January 16, 2026

નારણપુરાના જયેશ પટેલ રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન, AMCની વિવિધ કમિટીઓની જાહેરાત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ કોર્પોરેશનની સામાન્ય સભા મળી હતી. જેમાં આજે રોડ, પાણી, ટાઉન પ્લાનિંગ સહિતની વિવિધ કમિટીઓના નવા ચેરમેન, ડેપ્યુટી ચેરમેન અને સભ્યોની જાહેરાત કરવામાં આવી છે. વિપક્ષ કોંગ્રેસ દ્વારા કમિટીઓમાં સ્થાન ન મળવાને લઈ વિરોધ કરવામાં આવ્યો હતો. વિપક્ષના નેતા શહેજાદખાન પઠાણની આગેવાનીમાં સભામાં કોર્પોરેટરો દ્વારા વિરોધ કરાયો હતો.

આજે સાંજે 4 વાગ્યે મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ ઓફિસ ખાતે ભાજપની એજન્ડા બેઠક મળી હતી. જેમાં શહેર પ્રમુખ અમિત શાહ, મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રભારી ધર્મેન્દ્ર શાહ, શહેર મહામંત્રી જીતુ ભગત અને ભૂષણ ભટ્ટ, મેયર પ્રતિભા જૈન , ડેપ્યુટી મેયર જતીન પટેલ, શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ સહિતના પદાધિકારીઓ દ્વારા કમિટીના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનના નામની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ સામાન્ય સભામાં વિવિધ 13 જેટલી કમિટીઓના સભ્યોની નિમણૂક અંગેના કામગીરીને મંજૂરી આપવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ભાજપ દ્વારા AMTS કમિટીના ચેરમેન તરીકે ધરમસિંહ દેસાઇની નિમણૂક કરવામાં આવી છે. વોટર સપ્લાય કમિટીના ચેરમેન તરીકે વેજલપુરના દિલીપ બગરિયા, રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નારણપુરાના જયેશ પટેલ, ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ કમિટીના ચેરમેન તરીકે પાલડીના પ્રિતેશ મહેતા, રેવન્યુ કમિટીના ચેરમેન તરીકે વસ્ત્રાલના અનિરુદ્ધસિંહ ઝાલા, હેલ્થ કમિટીના ચેરમેન તરીકે શાહિબાગના જશુ ઠાકોર, હોસ્પિટલ કમિટીના ચેરમેન તરીકે ઇન્ડિયા કોલોનીના ભરત કાકડિયા, લીગલ કમિટીના ચેરમેન તરીકે બાપુનગરના પ્રકાશ ગુર્જર, રિક્રીએશનલ કમિટીના ચેરમેન તરીકે સરખેજના જયેશ ત્રિવેદીની નિમણૂક કરવામાં આવી છે.

આવતીકાલે શનિવારે તમામ કમિટીઓના નવા ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની પ્રથમ બેઠક મળશે. જેમાં તમામ સભ્યો હાજર રહેશે. આવતીકાલે શનિવારે જ તમામ ચેરમેનો અને ડેપ્યુટી ચેરમેનો પોતાના પદ સંભાળી લેશે. આ દરમિયાન વિપક્ષી સભ્યોને કમિટીમાં સ્થાન નહીં અપાતા હોબાળો સર્જાયો હતો. વિપક્ષી કોંગ્રેસી સભ્યોએ વિરોધ કરતા હોબાળો કરીને સામાન્ય સભાના એજન્ડાના કાગળોને ફાડવામાં આવ્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...