Thursday, January 22, 2026

રવિવારે રિવરફ્રન્ટ પર અદાણી મેરેથોન 2023 યોજાશે, સવારે 4 વાગ્યાથી રિવરફ્રન્ટ બંધ રહેશે

spot_img
Share

અમદાવાદ : અદાણી અમદાવાદ મેરેથોનની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી ત્યારે તેની સાતમી આવૃત્તિ આ વખતે 26મી નવેમ્બરે યોજાશે. આ માટેની નોંધણી શરૂ થઈ ગઈ છે. આ વર્ષની મેરેથોન 26મી નવેમ્બરે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલા મનોહર રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક, પાલડી ખાતે શરૂ થશે અને તે જ સ્થળે સમાપ્ત થશે.આ દોડમાં 20 હજારથી વધુ લોકો અને 2500 સુરક્ષા જવાનો દોડશે.

રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક, પાલડી ખાતેથી મેરેથોન શરૂ થશે અને ત્યાં જ પૂરી થશે. દોડવીરો સવારે 5 વાગે ફ્લેગ ઓફ થયા બાદ ફૂલ મેરેથોન (42.195 કિમી), હાફ મેરેથોન (21.097 કિમી), 10 કિ.મી., 5 કિ.મી દોડશે. આ વખતે વિશેષ આમંત્રિત દિવ્યાંગો માટે 1 કિ.મી.ની વ્હિલચેર કેટેગરી પણ છે. દોડવીરોની સુરક્ષા અને ટ્રાફિક ડાયવર્ઝન માટે 1000 જેટલા પોલીસકર્મીઓ તૈનાત રહેશે. 400 જેટલા વોલેન્ટિયર્સ ઉપરાંત મેડિકલ નર્સિંગ સ્ટાફ પણ મેરેથોન સાથે જોડાયેલ રહેશે. અટલ બ્રિજની સામે મલ્ટીલેવલ પાર્કિંગ સહિત કુલ 2 પાર્કિંગની વ્યવસ્થા છે. દોડવીરોએ ટાઉનહોલ થઈ પાર્કિંગ સુધી પહોંચવાનું રહેશે, ત્યાંથી ચાલી સ્ટાર્ટિંગ પોઈન્ટ સુધી પહોંચી શકાશે.

મેરેથોનને કારણે સવારે 4 વાગ્યાથી અંજલિ ચાર રસ્તાથી આંબેડકર બ્રિજની નીચેથી પશ્ચિમ તરફનો સંપૂર્ણ રિવરફ્રન્ટ રોડ ઈવેન્ટ પૂર્ણ થવા સુધી બંધ રહેશે. સુભાષબ્રિજથી વાડજ સુધીનો જતો માર્ગ તથા શિલાલેખથી સુભાષબ્રિજ તરફ જતો માર્ગ એકતરફનો ભાગ મેરેથોન પૂર્ણ થવા સુધી બંધ રહેશે. પૂર્વમાં શિલાલેખ ચાર રસ્તાથી પિકનિક હાઉસ થઈ ડફનાળાથી આંબેડકરબ્રિજ સુધીનો રિવરફ્રન્ટ પૂર્વનો માર્ગ બંધ રહેશે. પશ્ચિમમાં લોકો અંજલિથી પાલડી-ઉસ્માનપુરાવાળા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી શકે છે.

મેરેથોનના રૂટ પર ઘણાં પોલીસકર્મીઓ એવા રહેશે જેઓ જરૂર પડે તો જે-તે દોડવીર કે અન્યને CPR ટ્રીટમેન્ટ આપી શકે. આ સિવાય મેરેથોનનાં રૂટ પર 15 (રોડની બંને તરફ) જેટલા હાઈડ્રેશન અને મેડિકલ પોઈન્ટ રહેશે. 9 જેટલી 108 એમ્બ્યુલન્સ આઈસીયુ જેવી વ્યવસ્થા સાથે તૈયાર રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...