Tuesday, April 28, 2026

અમદાવાદનો આ બ્રિજ 23 દિવસ માટે કરાશે બંધ, જાણો કારણ અને વૈકલ્પિક રૂટ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ પૂર્વમાં ટ્રાફિકથી સૌથી વધુ વ્યસ્ત ઓવરબ્રિજ પૈકીના એક ગિરધર નગર ઓવરબ્રિજને આગામી સમયમાં 23 દિવસ સુધી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવશે. બૂલેટ ટ્રેનની ચાલતી કામગીરીમાં ટ્રેકના પિલ્લરો પર સેગમેન્ટ લગાવવાનું કામ હાથ ધરવાનું હોવાથી સલામતીના ભાગરૂપે ઓવરબ્રિજ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.આ અંગેનું જાહેરનામુ પણ પોલીસે બહાર પાડ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેર પોલીસના જાહેરનામા મુજબ, અમદાવાદના કોટ વિસ્તારોને જોડતા ગિરધર નગર ઓવરબ્રિજ શાહીબાગ, અસારવા જોડતો મહત્વનો માર્ગ છે, જે દરરોજ હજારો વાહનોની અવરજવરનું કેન્દ્ર છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના નિર્માણ કાર્યના ભાગરૂપે આ વિસ્તારમાં ટ્રેકના પિલ્લરો પર સેગમેન્ટ લગાવવાનું કામ શરૂ થવાનું છે. આ કામગીરી દરમિયાન સલામતીને ધ્યાનમાં રાખીને ઓવરબ્રિજને 18 જુલાઈથી 10 ઓગસ્ટ સુધી સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી શહેરના પૂર્વ ભાગમાં ટ્રાફિક વ્યવસ્થા પર નોંધપાત્ર અસર પડે તેવી શક્યતા છે.

જેના વૈકલ્પિક માર્ગ તરીકે કાલુપુર, પ્રેમ દરવાજા તરફથી આવતો ટ્રાફિક ઈદગાહ સર્કલ થઈ અસારવા બ્રિજનો ઉપયોગ કરી ડાબી બાજુ બળિયા લીમડી ચાર રસ્તા થઈને સિવિલ હોસ્પિટલ તરફ જઈ શકશે. જ્યારે શાહીબાગ, ગિરધર નગર તરફથી આવતો ટ્રાફિક ગિરધર નગર સર્કલ કાળકા માતાજીના મંદિર થઈને બળિયા લીમડી ચાર રસ્તાથી સિવિલ હોસ્પિટલ તેમજ અસારવા તરફ જઈ શકશે. આમ બંને વૈકલ્પિક માર્ગોનો વાહન વ્યવહાર બળિયા લીમડી ચારરસ્તા પર આવતા ત્યાં ટ્રાફિકનું ભારણ વધશે.

કાલુપુર રેલવેસ્ટેશનના નવનિર્માણના કામમાં સ્ટેશનની સામેના ભાગે એલિવેટેડ રોડના નિર્માણ માટે વિવિધ કામગીરી સબબ આગામી 31 ઓગસ્ટ સુધી સ્ટેશન સામેના રોડ પર પીલ્લર 24થી પીલ્લર 27 વચ્ચેનો 40 મીટરનો રોડ બંધ કરાયો છે. તાજેતરમાં રથયાત્રા દરમિયાન કામગીરી બંધ કરીને રસ્તો ખોલી આપવામાં આવ્યો હોવાથી હવે આ કામની મુદ્દત એક મહિનો વધારી દેવાઈ હોવાથી 40 મીટરની લંબાઈનો રોડ આગામી 30 સપ્ટેમ્બર સુધી બંધ રાખવામાં આવશે.

કાંકરિયા મેટ્રો અન્ડરગ્રાઉન્ડસ્ટેશન બનાવવાની કામગીરી અંતર્ગત ગોતીપુર-રાજપુર ટોલનાકા રોડ પરસેન્ટ જોસેફ સ્કૂલની દીવાલથી રાજપુર ટોલનાકાચાર રસ્તા સુધી 500 મીટર લંબાઈનું ડાઈવર્ઝને આપવામાં આવ્યું છે.જેની અમલવારી 3 જૂલાઈથી 300 સપ્ટેમ્બર એટલે કે ત્રણ મહિના સુધી કરાશે. ડાઈવર્ઝનવાળો આ સમગ્ર રૂટ પોલીસ તંત્ર દ્વારા નો-પાર્કિંગ ઝોન પણ જાહેર કરવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...