Wednesday, March 4, 2026

અમદાવાદીઓ માટે ખુશખબર, રિવરફ્રન્ટ પર આ તારીખથી શરૂ કરાશે ફ્લાવર શો, કુલ 33 સ્કલ્પચર બનાવાશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે દર વર્ષે યોજાતા ફ્લાવર શૉ ને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. દર વર્ષે જાન્યુઆરી મહિનામાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. તેમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. ઉપરાંત આ વર્ષે 10થી 12 જાન્યુઆરીની વચ્ચે વાઇબ્રન્ટ સમિટ પણ યોજાનારી છે. તેમાં મોટી સંખ્યામાં વિદેશી મહેમાનો આવવાના છે. તેને અનુલક્ષીને ફ્લાવર શોમાં ભારત તથા ગુજરાતના વિવિધ સ્કલ્પચર બનાવવામાં આવશે.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદની સાબરમતી નદીના કિનારે આવેલ રિવરફ્રન્ટ ખાતે દર વર્ષે 1 જાન્યુઆરીથી ફ્લાવર શૉ યોજાય છે. આ વર્ષે પણ રિવરફ્રન્ટના પશ્ચિમ છેડે સરદારબ્રિજથી એલિસબ્રિજની વચ્ચે 26,196.2 સ્ક્વેર મીટરના વિસ્તારમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવશે. ફ્લાવર શોમાં આ વખતે સૂર્ય મંદિર, સંસદ ભવન, સ્ટેચ્યૂ ઓફ યુનિટી મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહેશે. સૂર્ય મંદિર 5 મીટર ઊંચું હશે જ્યારે લંબાઈ 22 મીટર જેટલી હશે. તેની પાછળ અંદાજે 43.75 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત સંસદ ભવન પાછળ 24.60 લાખ રૂપિયા ખર્ચવામાં આવશે. આ ઉપરાંત આ વખતે વડનગરની થીમ પર એન્ટ્રી ગેટ બનાવાશે જે 5થી 6 મીટર ઊંચો અને 1.5 મીટર લાંબો હશે.જેની પાછળ અંદાજે 10 લાખનો ખર્ચ થવાની શક્યતા છે.

આ સાથે ચંદ્રયાન -3, GSLV MK 3 રોકેટ, વડનગરના કિર્તિ તોરણનું સ્કલ્પચર પણ બનાવાશે. આ તમામ સ્કલ્પચર 5.45 કરોડના ખર્ચે બનશે જે માટે અમદાવાદ AMCએ ટેન્ડર બહાર પાડ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...