Wednesday, January 21, 2026

અમદાવાદીઓ માટે ખુશખબર, રિવરફ્રન્ટ પર આ તારીખથી શરૂ કરાશે ફ્લાવર શો, કુલ 33 સ્કલ્પચર બનાવાશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે દર વર્ષે યોજાતા ફ્લાવર શૉ ને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. દર વર્ષે જાન્યુઆરી મહિનામાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. તેમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. ઉપરાંત આ વર્ષે 10થી 12 જાન્યુઆરીની વચ્ચે વાઇબ્રન્ટ સમિટ પણ યોજાનારી છે. તેમાં મોટી સંખ્યામાં વિદેશી મહેમાનો આવવાના છે. તેને અનુલક્ષીને ફ્લાવર શોમાં ભારત તથા ગુજરાતના વિવિધ સ્કલ્પચર બનાવવામાં આવશે.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદની સાબરમતી નદીના કિનારે આવેલ રિવરફ્રન્ટ ખાતે દર વર્ષે 1 જાન્યુઆરીથી ફ્લાવર શૉ યોજાય છે. આ વર્ષે પણ રિવરફ્રન્ટના પશ્ચિમ છેડે સરદારબ્રિજથી એલિસબ્રિજની વચ્ચે 26,196.2 સ્ક્વેર મીટરના વિસ્તારમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવશે. ફ્લાવર શોમાં આ વખતે સૂર્ય મંદિર, સંસદ ભવન, સ્ટેચ્યૂ ઓફ યુનિટી મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહેશે. સૂર્ય મંદિર 5 મીટર ઊંચું હશે જ્યારે લંબાઈ 22 મીટર જેટલી હશે. તેની પાછળ અંદાજે 43.75 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત સંસદ ભવન પાછળ 24.60 લાખ રૂપિયા ખર્ચવામાં આવશે. આ ઉપરાંત આ વખતે વડનગરની થીમ પર એન્ટ્રી ગેટ બનાવાશે જે 5થી 6 મીટર ઊંચો અને 1.5 મીટર લાંબો હશે.જેની પાછળ અંદાજે 10 લાખનો ખર્ચ થવાની શક્યતા છે.

આ સાથે ચંદ્રયાન -3, GSLV MK 3 રોકેટ, વડનગરના કિર્તિ તોરણનું સ્કલ્પચર પણ બનાવાશે. આ તમામ સ્કલ્પચર 5.45 કરોડના ખર્ચે બનશે જે માટે અમદાવાદ AMCએ ટેન્ડર બહાર પાડ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...