Wednesday, March 11, 2026

PMની વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું નવા વાડજ ખાતેથી પ્રસ્થાન, વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભ વિતરણ કરાયું

spot_img
Share

અમદાવાદ : ગુરુવારે PM મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિકાસ ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. દેશભરમાં તમામને સરકારની યોજનાઓ સુનિશ્ચિત કરવાના હેતુ સાથે વિકાસ ભારત સંકલ્પ યાત્રા શરૂ કરવામાં આવી છે. આ યાત્રા અંતર્ગત AMCના વિકસિત ભારત રથનું નવા વાડજ વિસ્તારમાં આગમન થયું હતું. જે અંતર્ગત નવા વાડજના જોઈતારામ કમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ નવા વાડજના જોઈતારામ કમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમોમાં વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની વિગતો લોકો સુધી પહોંચાડવામાં આવી હતી. આ ઉપરાંત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, પૂરક પોષણ યોજના, સ્વનિધિ યોજના, નિક્ષય પોષણ યોજના, ખેલો ઇન્ડિયા, સફાઈ કામદાર યોજના, આવાસ યોજના, પ્રધાનમંત્રી જન ઔષધી યોજનાના 10 જેટલા લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત કાર્યક્રમમાં આયુષ્માન કાર્ડ યોજના, આઈસીડીએસ વિભાગની વિવિધ યોજનાઓ સાથે મહિલા અને બાળ વિકાસની વિવિધ યોજનાઓ, ઉજ્જવલા યોજના, PM સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ યોજના, ટીબી નિદાન કેમ્પ તથા ખેલો ઇન્ડિયા યોજના સહિતના વિવિધ 12 જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા હતા.

વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો આ રથ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં જઈને નાગરિકોને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભ અને તેની વિગતો વિશે માહિતગાર કરશે.આ પ્રસંગે મેયર પ્રતિભાબહેન જૈન દ્વારા વિવિધ યોજનાઓની માહિતી કાર્યક્રમમાં હાજર લોકોને આપવામાં આવી હતી. નાગરિકોને આ બધી યોજનાઓ ખૂબ જ ઉપયોગી બની છે અને આવનારા સમયમાં પણ આ યોજનાઓ મદદરૂપ બનશે, તેમ તેમણે જણાવ્યું હતું.

PM નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં ફરી રહેલા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથો થકી વર્ચ્યુઅલ માધ્યમથી લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો અને કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. સાથે જ, PM દ્વારા ‘નમો ડ્રોન દીદી’ યોજનાનું લોંચિંગ કરવામાં આવ્યું હતું.વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં રથના આગમન સમયે શાળાના વિદ્યાર્થીઓ અને આંગણવાડીના બાળકો દ્વારા સ્વચ્છતા અભિયાનને કેન્દ્રમાં રાખીને નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું.

ઉપરોક્ત કાર્યક્રમમાં સાંસદ સભ્ય કિરીટભાઇ સોલંકી, નરહરિભાઈ અમીન, ધારાસભ્ય જિતેન્દ્રભાઈ પટેલ, ધારાસભ્ય ડૉ હર્ષદભાઈ પટેલ, અમદાવાદના ડેપ્યૂટી મેયર જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આઈ.કે.પટેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકારના વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીગણ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...