Tuesday, January 13, 2026

PMની વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું નવા વાડજ ખાતેથી પ્રસ્થાન, વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભ વિતરણ કરાયું

spot_img
Share

અમદાવાદ : ગુરુવારે PM મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિકાસ ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. દેશભરમાં તમામને સરકારની યોજનાઓ સુનિશ્ચિત કરવાના હેતુ સાથે વિકાસ ભારત સંકલ્પ યાત્રા શરૂ કરવામાં આવી છે. આ યાત્રા અંતર્ગત AMCના વિકસિત ભારત રથનું નવા વાડજ વિસ્તારમાં આગમન થયું હતું. જે અંતર્ગત નવા વાડજના જોઈતારામ કમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ નવા વાડજના જોઈતારામ કમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમોમાં વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની વિગતો લોકો સુધી પહોંચાડવામાં આવી હતી. આ ઉપરાંત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, પૂરક પોષણ યોજના, સ્વનિધિ યોજના, નિક્ષય પોષણ યોજના, ખેલો ઇન્ડિયા, સફાઈ કામદાર યોજના, આવાસ યોજના, પ્રધાનમંત્રી જન ઔષધી યોજનાના 10 જેટલા લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત કાર્યક્રમમાં આયુષ્માન કાર્ડ યોજના, આઈસીડીએસ વિભાગની વિવિધ યોજનાઓ સાથે મહિલા અને બાળ વિકાસની વિવિધ યોજનાઓ, ઉજ્જવલા યોજના, PM સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ યોજના, ટીબી નિદાન કેમ્પ તથા ખેલો ઇન્ડિયા યોજના સહિતના વિવિધ 12 જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા હતા.

વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો આ રથ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં જઈને નાગરિકોને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભ અને તેની વિગતો વિશે માહિતગાર કરશે.આ પ્રસંગે મેયર પ્રતિભાબહેન જૈન દ્વારા વિવિધ યોજનાઓની માહિતી કાર્યક્રમમાં હાજર લોકોને આપવામાં આવી હતી. નાગરિકોને આ બધી યોજનાઓ ખૂબ જ ઉપયોગી બની છે અને આવનારા સમયમાં પણ આ યોજનાઓ મદદરૂપ બનશે, તેમ તેમણે જણાવ્યું હતું.

PM નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં ફરી રહેલા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથો થકી વર્ચ્યુઅલ માધ્યમથી લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો અને કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. સાથે જ, PM દ્વારા ‘નમો ડ્રોન દીદી’ યોજનાનું લોંચિંગ કરવામાં આવ્યું હતું.વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં રથના આગમન સમયે શાળાના વિદ્યાર્થીઓ અને આંગણવાડીના બાળકો દ્વારા સ્વચ્છતા અભિયાનને કેન્દ્રમાં રાખીને નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું.

ઉપરોક્ત કાર્યક્રમમાં સાંસદ સભ્ય કિરીટભાઇ સોલંકી, નરહરિભાઈ અમીન, ધારાસભ્ય જિતેન્દ્રભાઈ પટેલ, ધારાસભ્ય ડૉ હર્ષદભાઈ પટેલ, અમદાવાદના ડેપ્યૂટી મેયર જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આઈ.કે.પટેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકારના વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીગણ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...