Tuesday, September 16, 2025

PMની વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું નવા વાડજ ખાતેથી પ્રસ્થાન, વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભ વિતરણ કરાયું

Share

Share

અમદાવાદ : ગુરુવારે PM મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિકાસ ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. દેશભરમાં તમામને સરકારની યોજનાઓ સુનિશ્ચિત કરવાના હેતુ સાથે વિકાસ ભારત સંકલ્પ યાત્રા શરૂ કરવામાં આવી છે. આ યાત્રા અંતર્ગત AMCના વિકસિત ભારત રથનું નવા વાડજ વિસ્તારમાં આગમન થયું હતું. જે અંતર્ગત નવા વાડજના જોઈતારામ કમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ નવા વાડજના જોઈતારામ કમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમોમાં વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની વિગતો લોકો સુધી પહોંચાડવામાં આવી હતી. આ ઉપરાંત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, પૂરક પોષણ યોજના, સ્વનિધિ યોજના, નિક્ષય પોષણ યોજના, ખેલો ઇન્ડિયા, સફાઈ કામદાર યોજના, આવાસ યોજના, પ્રધાનમંત્રી જન ઔષધી યોજનાના 10 જેટલા લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત કાર્યક્રમમાં આયુષ્માન કાર્ડ યોજના, આઈસીડીએસ વિભાગની વિવિધ યોજનાઓ સાથે મહિલા અને બાળ વિકાસની વિવિધ યોજનાઓ, ઉજ્જવલા યોજના, PM સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ યોજના, ટીબી નિદાન કેમ્પ તથા ખેલો ઇન્ડિયા યોજના સહિતના વિવિધ 12 જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા હતા.

વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો આ રથ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં જઈને નાગરિકોને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભ અને તેની વિગતો વિશે માહિતગાર કરશે.આ પ્રસંગે મેયર પ્રતિભાબહેન જૈન દ્વારા વિવિધ યોજનાઓની માહિતી કાર્યક્રમમાં હાજર લોકોને આપવામાં આવી હતી. નાગરિકોને આ બધી યોજનાઓ ખૂબ જ ઉપયોગી બની છે અને આવનારા સમયમાં પણ આ યોજનાઓ મદદરૂપ બનશે, તેમ તેમણે જણાવ્યું હતું.

PM નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં ફરી રહેલા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથો થકી વર્ચ્યુઅલ માધ્યમથી લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો અને કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. સાથે જ, PM દ્વારા ‘નમો ડ્રોન દીદી’ યોજનાનું લોંચિંગ કરવામાં આવ્યું હતું.વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં રથના આગમન સમયે શાળાના વિદ્યાર્થીઓ અને આંગણવાડીના બાળકો દ્વારા સ્વચ્છતા અભિયાનને કેન્દ્રમાં રાખીને નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું.

ઉપરોક્ત કાર્યક્રમમાં સાંસદ સભ્ય કિરીટભાઇ સોલંકી, નરહરિભાઈ અમીન, ધારાસભ્ય જિતેન્દ્રભાઈ પટેલ, ધારાસભ્ય ડૉ હર્ષદભાઈ પટેલ, અમદાવાદના ડેપ્યૂટી મેયર જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આઈ.કે.પટેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકારના વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીગણ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...