Friday, February 20, 2026

અમદાવાદીઓ માટે ખુશખબર! રિવરફ્રન્ટ પર ‘AmdavadNXT’ એક્ઝિબિશનનો પ્રારંભ, શહેરની હિસ્ટ્રી અને ફ્યુચર જોવા મળશે

spot_img
Share

અમદાવાદ : વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદ અત્યારથી જ સજ્જ થઈ રહ્યું છે. શહેરની પરિવહન વ્યવસ્થાને વધુ આધુનિક, સુરક્ષિત અને લોકો-કેન્દ્રિત બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આગામી 21 થી 23 ફેબ્રુઆરી દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે ‘AmdavadNXT’ નામે એક ખાસ જાહેર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.આ એક્ઝિબિશન તમામ નાગરિકો માટે ખુલ્લું રહેશે.

SHIFT Transport coalition હેઠળ AMC દ્વારા WRI India, TUL Foundation, UrbanVoices, aProCh, MYBYK તથા અન્ય સંસ્થાઓની ભાગીદારીમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 50થી વધુ સંસ્થાઓ, 35 શાળાઓ અને 18 યુનિવર્સિટીઓના સહયોગ સાથે યોજાનાર આ અનોખું મંચ નીતિ નિર્માતાઓ, શહેરી આયોજનકારો, શૈક્ષણિક સંસ્થાઓ, સ્ટાર્ટઅપ્સ, સિવિલ સોસાયટી જૂથો અને નાગરિકોને એકત્ર કરી અમદાવાદના પરિવહન પ્રવાસ પર ચર્ચા અને ભાવિ દિશા નક્કી કરવાની તક આપશે.રસ ધરાવતા તમામ નાગરિકો માટે આ પ્રદર્શન અમદાવાદના રિવરફ્રન્ટ હાઉસ (ગ્રાઉન્ડ ફ્લોર) ખાતે 21 થી 23 ફેબ્રુઆરી દરમિયાન સવારે 10:00 કલાકથી ખુલ્લું રહેશે, જેમાં પ્રવેશ સંપૂર્ણપણે મફત રાખવામાં આવ્યો છે.

મુલાકાતીઓ માટે આ પ્રદર્શનમાં અનેક વિશેષ આકર્ષણો રાખવામાં આવ્યા છે, જેમાં AMTS થી લઈને BRTS અને મેટ્રો રેલ સુધીની અમદાવાદની ભવ્ય સફરને ઇન્ટરેક્ટિવ મેપ અને મલ્ટીમીડિયાના માધ્યમથી સુંદર રીતે રજૂ કરવામાં આવશે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ તરીકે સ્થાન પામેલા અમદાવાદના ઐતિહાસિક ‘કોટ વિસ્તાર’નું લાઈફ સાઈઝ મોડેલ પણ અહીં નિહાળવા મળશે, જે મુલાકાતીઓને જૂના શહેરની યાદ અપાવશે. આ ઉપરાંત, શહેરી પરિવહન ક્ષેત્રે આધુનિક ઉકેલો લાવતા સ્ટાર્ટઅપ્સ અને વિષય નિષ્ણાતો સાથે સીધો સંવાદ કરવાની તક પણ અહીં ઉપલબ્ધ છે. માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ ગાંધીનગર, મહેસાણા અને નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ તેમના શહેરોમાં હાથ ધરવામાં આવેલી શ્રેષ્ઠ પરિવહન પહેલો આ પ્રદર્શનમાં પ્રસ્તુત કરવામાં આવશે.

આ ત્રણ દિવસ દરમિયાન મળેલા નાગરિકોના પ્રતિસાદ અને સૂચનોના આધારે ‘Making Amdavad Ready for 2030’ નામનું એક વિશેષ વ્હાઇટ પેપર તૈયાર કરવામાં આવશે. આ મહત્વપૂર્ણ રિપોર્ટમાં શહેરના પરિવહન નેટવર્ક, સુરક્ષા અને એક્સેસિબિલિટીને સુધારવા માટેની પાયાની ભલામણો કરવામાં આવશે, જે આગામી સમયમાં યોજાનારી મોટી વૈશ્વિક ઈવેન્ટ્સના આયોજનમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની (IAS) એ જણાવ્યું હતું કે, “અમદાવાદ એક વૈશ્વિક આર્થિક હબ બની રહ્યું છે, ત્યારે તેની મોબિલિટી વ્યવસ્થા પણ તેટલી જ મજબૂત હોવી જોઈએ. ‘AmdavadNXT’ દ્વારા અમે નાગરિકો અને નિષ્ણાતોના સૂચનો મેળવીને જાહેર પરિવહનને ભવિષ્યનો આધારસ્તંભ બનાવવા માંગીએ છીએ.”

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...