Friday, February 20, 2026

અમદાવાદમાં રહેણાંક ફ્લેટમાં ચાલતા PG સીલ થતા ‘મધરાતે’ સંગ્રામ : યુવક-યુવતીઓએ AMC કચેરી ગજવી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ ગુજરાત હાઈકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજી (PIL) અને અદાલતના કડક વલણ બાદ AMC તંત્ર સફાળું જાગ્યું છે, જેના ભાગરૂપે શહેરના બોડકદેવ, વસ્ત્રાપુર અને ઘાટલોડિયા સહિતના વિસ્તારોમાં રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદે ચાલતા PGને AMC દ્વારા નોટિસ આપ્યા બાદ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.19 ફેબ્રુઆરીના રોજ AMCના એસ્ટેટ વિભાગ દ્વારા વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા પ્રેમચંદ નગરમાં અને ગોતામાં આનંદવિહાર સોસાયટીમાં ચાલતા કુલ 50 જેટલા PGને સીલ કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા 50 થી વધુ PG એકમોને અચાનક સીલ કરી દેવામાં આવતા મોટો વિવાદ સર્જાયો છે. ખાસ કરીને સેટેલાઈટ અને પ્રેમચંદનગર વિસ્તારના PGમાં જ્યારે યુવક-યુવતીઓ રાત્રે નોકરી કે અભ્યાસ પૂરો કરીને પાછા ફર્યા, ત્યારે દરવાજા પર સીલ જોઈને તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. પોતાનો સામાન અંદર હોવા છતાં અને રાત્રિ રોકાણ માટે કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે આશરે 100 થી 150 લોકોનું ટોળું રોષે ભરાયું હતું.

PG સંચાલકો અને રહેવાસીઓએ સાથે મળીને પ્રેમચંદનગરથી બોડકદેવ AMC કચેરી સુધી વિશાળ રેલી યોજી હતી. “તંત્રની આ કેવી નીતિ?” આ સવાલો સાથે તેઓએ કોર્પોરેશનની કચેરીએ ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા હતા. તંત્રની આ કડક કાર્યવાહી સામે લડત આપવા માટે PGમાં રહેતા યુવાનોએ અનોખો રસ્તો અપનાવ્યો છે. તેમણે જાહેરાત કરી છે કે જ્યાં સુધી તંત્ર વૈકલ્પિક વ્યવસ્થા ન કરે અથવા સીલ ન ખોલે, ત્યાં સુધી તેઓ બોડકદેવ AMC કચેરીમાં જ રાત્રિ રોકાણ કરશે.

PG સંચાલકોએ પણ આ આંદોલનમાં જોડાઈને કચેરીમાં જ રોકાવાનું એલાન કર્યું છે. વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરાવવું જોઈએ, પરંતુ અચાનક સીલ મારી દેવાથી યુવતીઓ અને વિદ્યાર્થીઓ રસ્તે રઝળતા થયા છે. રાત્રિના સમયે કન્યાઓને સુરક્ષિત રહેવા માટે કોઈ જગા ન હોવાથી તંત્રની માનવતા સામે પણ આંગળી ચીંધાઈ રહી છે. હાલમાં સ્થિતિ તણાવપૂર્ણ છે અને પોલીસ કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો છે.

બીજી બાજુ વહીવટી તંત્રના મતે રહેણાંક મિલકતનો વ્યાવસાયિક ઉપયોગ કરવો એ કાયદાકીય રીતે ગંભીર ઉલ્લંઘન છે, કારણ કે આવા એકમો પાસે જરૂરી ફાયર સેફ્ટી કે વ્યાવસાયિક લાયસન્સ હોતા નથી. મ્યુનિસિપલ અધિકારીઓના જણાવ્યા મુજબ, રહેણાંક સોસાયટીઓમાં PG ચલાવવાથી પાર્કિંગ અને સુરક્ષાના પ્રશ્નો ઉભા થાય છે, જેના કારણે સ્થાનિક રહીશોમાં લાંબા સમયથી રોષ જોવા મળી રહ્યો હતો.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...