Wednesday, March 11, 2026

મ્યુ ચૂંટણીમાં 60 વર્ષથી વધુ વયના નેતાઓને ટિકિટ ‘નહિ’, નવા ચહેરાઓને પ્રાધાન્ય અને ‘નો રિપીટ થિયરી’ લાગુ પડશે..!!

spot_img
Share

અમદાવાદ : રાજ્યમાં હવે તમામ રાજકીય પક્ષોની નજર આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર કેન્દ્રિત થઈ ગઈ છે. ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા પોતાના સંગઠનને મજબૂત બનાવવા માટે સક્રિય બન્યા છે.તે દરમિયાન ભાજપમાં ટિકિટ મેળવવા ઇચ્છુક દાવેદારોની દોડધામ અત્યારથી જ શરૂ થઈ ગઈ છે. અનેક નેતાઓએ પક્ષના કમલમ કાર્યાલયના ચક્કર લગાવવાનું શરૂ કરી દીધું છે. ટિકિટ માટે લોબીંગ અને આંતરિક ગતિવિધિઓ તેજ બની છે.

અમદાવાદ શહેરની વાત કરીએ તો એક વિધાનસભામાં તો બે-બે ટર્મ ચુંટાયેલ મ્યુ કોર્પાેરેટરો ચાર-ચાર કોર્પાેરેટરોએ ધારાસભ્યોના ઝભ્ભા પકડયા હોય તેમ વૈકુંઠ પાર પાડવાની ગતિવિધિઓ તેજ કરી દીધી છે.તો કેટલાંક કોર્પાેરેટરોએ તો પોતાના ગોડ ફાધરોના ત્યાં આંટાફેરા શરૂ કરી દીધા છે.ભાજપના આંતરિક સૂત્રો અનુસાર, તાજેતરમાં થયેલ અમદાવાદ શહેર સંગઠનની નિમણુંકમાં ભાજપ દ્વારા યુવા ચહેરાઓને મોટેભાગે પ્રાધાન્ય આપવાનો પ્રયાસ કર્યાે છે, ત્યારે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની એટલે સ્થાનિક મ્યુ ચૂંટણીમાં પક્ષ જૂની ફોર્મ્યુલા જ અમલમાં મૂકાશે. આ ફોર્મ્યુલા મુજબ 60 વર્ષથી વધુ વયના સિનિયર નેતાઓને ટિકિટ આપવામાં આવશે નહીં.

ઉપરાંત,‘રિપીટ થિયરી’ પણ અપનાવવામાં આવશે નહીં. એટલે કે, શહેરોમાં બે કરતાં વધુ વખત કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા નેતાઓને ફરી તક આપવામાં નહીં આવે.ભાજપ દ્વારા આ વખતે નવા ચહેરાઓને પ્રાધાન્ય આપશે અને યુવા નેતૃત્વને આગળ લાવવા પ્રયત્ન કરશે. સાથે જ, ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા વ્યક્તિઓને પણ ટિકિટ આપવામાં નહીં આવે.

આ રીતે ભાજપ નક્કી કરેલા માપદંડો અને નિયમોના આધારે ઉમેદવારોની પસંદગી કરશે. જેથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા ઇચ્છુક દાવેદારોએ પક્ષના આ નિયમોનું પાલન કરવું ફરજિયાત બનશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...