Friday, March 13, 2026

અમદાવાદના આ વેપારીને ટ્રાવેલ્સની બસમાં બેહોશ કરી લૂંટી લેવાયા, એક બિસ્કીટ 3 લાખ 40 હજારનું પડ્યું !

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના એક વેપારીની સાથે થયેલી લૂંટની ઘટના ચોંકાવનારી છે. જો તમે બસમાં કે ટ્રેનમાં મુસાફરી કરતા હો તો બાજુ વાળા મુસાફર જેવા દેખાતા કોઈ વ્યક્તિ કાંઈ ખાવાનું આપે તો ચેતજો. અમદાવાદમાં એક ખાનગી બસમાં વેપારી લૂંટાયો છે.

આ અંગે મળતી માહિતી મુજબ અમદાવાદથી સુરત જઈ રહેલા એક વેપારી સાથે લૂંટની ઘટના ઘટી છે. અશોકભાઈ ઝડફિયા નામના વેપારી તેના ભત્રીજાના લગ્નમાં હોવાથી સુરત જઈ રહ્યાં હતા અને CTM પાસેથી રામદેવ ટ્રાવેલ્સ નામની ખાનગી બસમાં બેઠા હતા. આ દરમિયાન અશોકભાઈની બાજુમાં બેઠેલા આશેર 40 વર્ષીય યુવકે તેમને નશાયુક્ત બિસ્કિટ ખવડાવ્યાં હતા. બિસ્કિટ ખાધા બાદ અશોકભાઈ બેભાન થઇ ગયા હતા. લાગે જોઈને બિસ્કિટ ખવડાવનાર યુવક અશોકભાઈની બેગમાંથી સોનાના દાગીના અને રોકડ મળીને કુલ 3 લાખ 40 હજારની લૂંટ ચલાવી ફરાર થઇ ગયો હતો.

ઘટના બાદ બેભાન થયેલા અશોકભાઈને નિકોલની સરદાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બે દિવસની સારવાર બાદ અશોકભાઈ ભાનમાં આવ્યાં હતા. આ સમગ્ર મામલે નિકોલ પોલીસ સ્ટેશનમાં લૂંટ ચલાવનાર અજાણ્યા યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

ચોંકાવનારી વાત એ પણ છે કે ફરિયાદી લગ્ન પ્રસંગમાં જ્યાં હાજરી આપવા જવાના હતા ત્યાં પણ આ બનાવને પગલે પહોંચી નહીં શકતા પરિવાર ગભરાઈ ગયો અને આખરે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...