Saturday, January 24, 2026

અમદાવાદના આ વેપારીને ટ્રાવેલ્સની બસમાં બેહોશ કરી લૂંટી લેવાયા, એક બિસ્કીટ 3 લાખ 40 હજારનું પડ્યું !

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના એક વેપારીની સાથે થયેલી લૂંટની ઘટના ચોંકાવનારી છે. જો તમે બસમાં કે ટ્રેનમાં મુસાફરી કરતા હો તો બાજુ વાળા મુસાફર જેવા દેખાતા કોઈ વ્યક્તિ કાંઈ ખાવાનું આપે તો ચેતજો. અમદાવાદમાં એક ખાનગી બસમાં વેપારી લૂંટાયો છે.

આ અંગે મળતી માહિતી મુજબ અમદાવાદથી સુરત જઈ રહેલા એક વેપારી સાથે લૂંટની ઘટના ઘટી છે. અશોકભાઈ ઝડફિયા નામના વેપારી તેના ભત્રીજાના લગ્નમાં હોવાથી સુરત જઈ રહ્યાં હતા અને CTM પાસેથી રામદેવ ટ્રાવેલ્સ નામની ખાનગી બસમાં બેઠા હતા. આ દરમિયાન અશોકભાઈની બાજુમાં બેઠેલા આશેર 40 વર્ષીય યુવકે તેમને નશાયુક્ત બિસ્કિટ ખવડાવ્યાં હતા. બિસ્કિટ ખાધા બાદ અશોકભાઈ બેભાન થઇ ગયા હતા. લાગે જોઈને બિસ્કિટ ખવડાવનાર યુવક અશોકભાઈની બેગમાંથી સોનાના દાગીના અને રોકડ મળીને કુલ 3 લાખ 40 હજારની લૂંટ ચલાવી ફરાર થઇ ગયો હતો.

ઘટના બાદ બેભાન થયેલા અશોકભાઈને નિકોલની સરદાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બે દિવસની સારવાર બાદ અશોકભાઈ ભાનમાં આવ્યાં હતા. આ સમગ્ર મામલે નિકોલ પોલીસ સ્ટેશનમાં લૂંટ ચલાવનાર અજાણ્યા યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

ચોંકાવનારી વાત એ પણ છે કે ફરિયાદી લગ્ન પ્રસંગમાં જ્યાં હાજરી આપવા જવાના હતા ત્યાં પણ આ બનાવને પગલે પહોંચી નહીં શકતા પરિવાર ગભરાઈ ગયો અને આખરે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...