Sunday, September 14, 2025

અમદાવાદમાં વધુ એક ડમ્પર ચાલકે એકટીવાને લીધું અડફેટે, માતા-પુત્રીનો ભોગ લીધો

Share

Share

અમદાવાદ: શહેર માટે સોમવાર ગોઝારો સાબિત થયો છે. અમદાવાદમાં એક દિવસમાં બે અકસ્માતમાં કુલ ત્રણ મોત નીપજ્યા છે. શહેરના એસ.પી રીંગ રોડ પર હેબતપુર પાસે પુરપાટ ઝડપે આવતા ડમ્પરે એકટીવા સાથે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં એકટીવા ચાલક 40 વર્ષીય મહિલા માલવિકા ગોસ્વામી તેમજ તેની 9 વર્ષની પુત્રી જાનવીનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું છે. આજે સવારે પણ વાસણા જી.બી.શાહ કોલેજ પાસે અન્ય એક અકસ્માત સર્જાયો હતો. જેમા વહેલી સવારે સ્વિપર મશીન ફૂટપાથ ઉપર ચડી જતા ત્યાં એક મહિલાનું મોત નીપજ્યુ હતું.

આ અકસ્માત અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, સોમવારે બપોરે હેબતપુર કટ પાસે એકટીવામાં માતા પુત્રી ભાડજ તરફ જઈ રહ્યા હતા. તે દરમ્યાન ત્યાંથી પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલા ટાટા મિક્ષ્ચર મશીન દ્વારા ટુવ્હિલરને ટક્કર મારી હતી. જે અકસ્માતમાં 40 વર્ષની માતા અને સાત વર્ષની પુત્રીનું મોત નીપજ્યું છે. જોકે ઘટના બાદ મિક્ષચર ચાલક વાહન મૂકી ફરાર થઈ ગયો હતો.આ અંગે ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથી ધરી છે. આ માતા પુત્રી ક્રિષ્ણા રો હાઉસ ભાડજના રહેવાસી છે.

આ અગાઉ આજે સોમવાર સવારે શહેરમાં અન્ય એક અકસ્માતમાં એક મહિલાનું મોત નીપજ્યુ હતુ. વાસણા વિસ્તારમાં જી.બી.શાહ કોલેજ નજીકના ફૂટપાથ પર લોકો ગાઢ નીંદ્રામાં સૂતા હતા. ત્યારે વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ AMC ના ડમ્પરના ડ્રાયવરે સૂતેલા લોકો પર ચઢાવી દીધુ હતુ.આમ અમદાવાદ શહેર માટે સોમવાર ગોઝારો સાબિત થયો છે.

મહત્વનું છે કે શહેરમાં ડમ્પર તેમજ મોટા વાહનો પર ટ્રાફિક પોલીસનો કોઈ કંટ્રોલ રહ્યો નથી. બેફામ રીતે ચાલતા મોટા વાહનો અકસ્માત સર્જે છે, તેમાં ઘણા લોકો ગંભીર ઈજાગ્રસ્ત થાય છે. તો અમુકના મૃત્યુ પણ થવાના કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે હવે પોલીસે આવા મોટા વાહનો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીઓ કરવી જોઈએ અને જે નિયમો છે, તેનો કડક રીતે પાલન થાય તેવી પણ લોક માંગણી ઉઠી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...