Thursday, March 5, 2026

અમદાવાદમાં 132ફૂટ રીંગ રોડ પર પલ્લવ ચારરસ્તાથી AEC સુધીનો રોડ 10 દિવસ સુધી રહેશે બંધ, જાણો વૈકલ્પિક રૂટ વિશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં પલ્લવ ચાર રસ્તાથી AEC બ્રિજ નીચેનો રોડ આજથી 10 દિવસ બંધ રહેશે. ટોરેન્ટ પાવરની કામગીરીને લઈને રોડ બંધ રાખવામાં આવ્યો છે. જો કે વાહનચાલકો સામે વૈકલ્પિક રૂટ તરીકે ફ્લાયઓવરનો ઉપયોગ કરી શકશે અને પલ્લવ ચાર રસ્તાથી આવતા વાહનચાલકો મીરામ્બિકા સ્કૂલ થઇ પૂજ્ય ધરમસિંહ સ્વામી માર્ગ થઇ મ્યુઝિયમ ચાર રસ્તા થઈને AEC ચાર રસ્તા જઇ શકશે. તો અખબારનગર તરફથી આવતા વાહનચાલકો અંકુર ચાર રસ્તાથી ઘરડાઘર થઈને AEC ચાર રસ્તા જઈ શકશે અને અંકુર ચાર રસ્તા થઇને શિવ હોસ્પિટલ તરફ જઈ શકશે. જો કે સતત ટ્રાફિકથી ધમધમતો રોડ બંધ કરાતા ટ્રાફિક સમસ્યા વકરવાની સંભાવના છે.

ટોરેન્ટ પાવરની કેબલ કામગીરીને લીધે આજથી શનિવારથી 25 ડિસેમ્બર સુધી પલ્લવ ચાર રસ્તાથી AEC ફ્લાય ઓવરબ્રિજના છેડેથી AEC બ્રિજના બીજા છેડા સુધી સર્વિસ રોડ બંને બાજુ 300 મીટર બેરિકેડિંગ કરીને બંધ કરાશે. 132 ફૂટ પલ્લવ ચાર રસ્તાથી સમર્પણ ટાવર સુધી બ્રિજના બંને છેડા સુધીનો 300 મીટરનો બેરિકેડિંગ કરીને વાહનો માટે બંધ કરાયો છે. વાહનચાલકો સામે વૈકલ્પિક રૂટ તરીકે ફ્લાયઓવરનો ઉપયોગ કરી શકશે અને પલ્લવ ચાર રસ્તાથી આવતા વાહનચાલકો મીરામ્બિકા સ્કૂલ થઇ પૂજ્ય ધરમસિંહ સ્વામી માર્ગ થઇ મ્યુઝિયમ ચાર રસ્તા થઈને AEC ચાર રસ્તા જઇ શકશે તેમજ અખબારનગર તરફથી આવતા વાહનચાલકો અંકુર ચાર રસ્તાથી ઘરડાંઘર થઈને AEC ચાર રસ્તા જઈ શકશે અને અંકુર ચાર રસ્તા થઇને શિવ હોસ્પિટલ તરફ જઈ શકશે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...