Monday, April 27, 2026

નારણપુરાની આ રેસ્ટોરન્ટના પાસ્તામાંથી ઈયળ નીકળી, ઓનલાઈન ફૂડ મંગાવો તો જોઈને ખાજો!

spot_img
Share

અમદાવાદ: અમદાવાદ સહીત સમગ્ર રાજ્યમાંથી ફૂડમાંથી જીવાત નીકળવાનો સિલસિલો યથાવત છે. છેલ્લા કેટલાક સમયથી સંખ્યાબંધ જાણીતી હોટલો અને રેસ્ટોરન્ટના ફૂડમાંથી જીવાત નીકળવાના અહેવાલો મળી ચૂક્યા છે.ત્યારે શહેરની વધુ એક રેસ્ટોરાના ફૂડમાંથી જીવાત નીકળ્યાની ઘટના સામે આવી છે. આ ઘટના નારણપુરા વિસ્તારમાં આવેલી મારુતિનંદન રેસ્ટોરન્ટની છે. સિઝલરના વ્હાઇટ પાસ્તામાંથી ઈયળ નીકળી છે. યુવતીએ ફૂડની ઓનલાઈન ડિલિવરી મંગાવી હતી.

પ્રાપ્ત મીડિયા રિપોર્ટ મુજબ નારણપુરા વિસ્તારમાં આવેલી મારુતિનંદન હોટલમાંથી ઓનલાઈન ફૂડ એપ મારફત એક યુવતીએ મારુતિનંદન સ્પેશિયલ સિઝલરનો ઓર્ડર કર્યો હતો, જેમાં જીવાત નીકળી હતી. યુવતીએ અડધો ડબ્બો પાસ્તા ખાઈ લીધા બાદ તેને ડબ્બામાંથી જીવાત નીકળતી જોઈ હતી. જીવાત નીકળતાં તેને આ મામલે હોટલનો સંપર્ક કર્યો હતો, જેથી હોટલના સંચાલક દ્વારા તેને નવા પાસ્તા મોકલવાનું કહ્યું હતું.

જોકે યુવતીના પૈસા પણ પરત આપવા માટે જણાવ્યું હતું. એ માટે તેણે પૈસા પરત આપવા માટે માણસો પણ મોકલ્યા હતા. જોકે યુવતીએ તેના પૈસા પરત લેવાની ના પાડી હતી અને હોટલના જે પણ માણસો આવ્યા હતા તેમને જે જીવાત નીકળી હતી એ જીવાત ડબ્બામાં નીકળેલી બતાવી હતી. આ મામલે તેણે ઓનલાઇન ફૂડ ઝોમેટોને પણ ઈમેલ કરીને ફરિયાદ કરી છે.

આ અગાઉ જાણીતા બ્રાન્ડેડ પિત્ઝા સેન્ટરના બર્ગરમાંથી ઈયળ નીકળી હોવાનું સામે આવ્યું છે. ન્યૂ રાણીપ વિસ્તારમાં માણકી સર્કલ પાસે આવેલા રિયલ પેપ્રિકા પિત્ઝા સેન્ટરમાં બર્ગરમાંથી જીવતી ઈયળ નીકળી હતી.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...