Thursday, March 12, 2026

નારણપુરાની આ રેસ્ટોરન્ટના પાસ્તામાંથી ઈયળ નીકળી, ઓનલાઈન ફૂડ મંગાવો તો જોઈને ખાજો!

spot_img
Share

અમદાવાદ: અમદાવાદ સહીત સમગ્ર રાજ્યમાંથી ફૂડમાંથી જીવાત નીકળવાનો સિલસિલો યથાવત છે. છેલ્લા કેટલાક સમયથી સંખ્યાબંધ જાણીતી હોટલો અને રેસ્ટોરન્ટના ફૂડમાંથી જીવાત નીકળવાના અહેવાલો મળી ચૂક્યા છે.ત્યારે શહેરની વધુ એક રેસ્ટોરાના ફૂડમાંથી જીવાત નીકળ્યાની ઘટના સામે આવી છે. આ ઘટના નારણપુરા વિસ્તારમાં આવેલી મારુતિનંદન રેસ્ટોરન્ટની છે. સિઝલરના વ્હાઇટ પાસ્તામાંથી ઈયળ નીકળી છે. યુવતીએ ફૂડની ઓનલાઈન ડિલિવરી મંગાવી હતી.

પ્રાપ્ત મીડિયા રિપોર્ટ મુજબ નારણપુરા વિસ્તારમાં આવેલી મારુતિનંદન હોટલમાંથી ઓનલાઈન ફૂડ એપ મારફત એક યુવતીએ મારુતિનંદન સ્પેશિયલ સિઝલરનો ઓર્ડર કર્યો હતો, જેમાં જીવાત નીકળી હતી. યુવતીએ અડધો ડબ્બો પાસ્તા ખાઈ લીધા બાદ તેને ડબ્બામાંથી જીવાત નીકળતી જોઈ હતી. જીવાત નીકળતાં તેને આ મામલે હોટલનો સંપર્ક કર્યો હતો, જેથી હોટલના સંચાલક દ્વારા તેને નવા પાસ્તા મોકલવાનું કહ્યું હતું.

જોકે યુવતીના પૈસા પણ પરત આપવા માટે જણાવ્યું હતું. એ માટે તેણે પૈસા પરત આપવા માટે માણસો પણ મોકલ્યા હતા. જોકે યુવતીએ તેના પૈસા પરત લેવાની ના પાડી હતી અને હોટલના જે પણ માણસો આવ્યા હતા તેમને જે જીવાત નીકળી હતી એ જીવાત ડબ્બામાં નીકળેલી બતાવી હતી. આ મામલે તેણે ઓનલાઇન ફૂડ ઝોમેટોને પણ ઈમેલ કરીને ફરિયાદ કરી છે.

આ અગાઉ જાણીતા બ્રાન્ડેડ પિત્ઝા સેન્ટરના બર્ગરમાંથી ઈયળ નીકળી હોવાનું સામે આવ્યું છે. ન્યૂ રાણીપ વિસ્તારમાં માણકી સર્કલ પાસે આવેલા રિયલ પેપ્રિકા પિત્ઝા સેન્ટરમાં બર્ગરમાંથી જીવતી ઈયળ નીકળી હતી.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...