Saturday, March 7, 2026

બોર્ડના વિદ્યાર્થીઓ ખાસ વાંચો ! અમદાવાદની સ્કૂલોમાં પ્રિ બોર્ડ પરીક્ષાનું આયોજન, જાણો ક્યારે શરુ થશે આ પરીક્ષા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ DEO દ્વારા આ વર્ષે પણ પ્રિ બોર્ડની પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. જેમાં ધો. 10 નાં મુખ્ય પાંચ વિષયોની પરીક્ષા લેવાશે. જાન્યુઆરી માસનાં અંતે શહેરની સ્કૂલોમાં પ્રિ-બોર્ડ પરીક્ષા લેવાશે. આ પરીક્ષામાં ધો. 10 નાં અંદાજિત 45000 થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તેમજ આ પરીક્ષામાં કેન્દ્રીય પદ્ધતિ પેપર કાઢવામાં આવશે. માર્ચમાં લેવાનાર ધો. 10 ની બોર્ડની પરીક્ષાઓનો હાઉ વિદ્યાર્થીઓનાં મનમાંથી દૂર થાય તે માટે આ પ્રિ બોર્ડ પરીક્ષા લેવામાં આવે છે.

સામાન્ય રીતે પહેલીવાર બોર્ડની પરીક્ષા આપતા ધોરણ 10ના વિધાર્થીઓમાં પરીક્ષાનો ડર વધારે હોય છે. ત્યારે પરીક્ષાનો આ હાઉ દૂર કરવા અમદાવાદ DEOએ અનોખી પહેલ કરી છે. આ પરીક્ષા જાન્યુઆરી માસનાં અંત સુધી શહેરની સ્કૂલોમાં પ્રિ બોર્ડ પરીક્ષા યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા જાન્યુઆરી માસનાં અંતે યોજાશે. જેમાં ધો. 10 નાં અંદાજિત 45000 થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ પરીક્ષા તદ્દન બોર્ડની પરીક્ષાની જેમ જ લેવાશે. પ્રિ-બોર્ડ પરીક્ષામાં ધો. 10 નાં મુખ્ય પાંચ વિષયોની પરીક્ષા લેવાશે. તેમજ આ પરીક્ષાના પેપર પણ કેન્દ્રિય પદ્ધતિથી કાઢવામા આવશે.અને બોર્ડની પરીક્ષાની જેમ વિદ્યાર્થીઓને હોલ ટીકીટ પણ આપવામાં આવશે.

તમને જણાવી દઈએ કે અમદાવાદ DEO દ્વારા બોર્ડની ગત પરીક્ષા પહેલા ધોરણ-10ના વિદ્યાર્થીઓ માટે માટે પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો શાળાઓ દ્વારા ખુબ જ આવકારદાયક અમલ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને પણ પ્રિ-બોર્ડ પરીક્ષાને કારણે બોર્ડ પરીક્ષામાં ભયમુક્ત આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી શક્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...