Sunday, January 18, 2026

બોર્ડના વિદ્યાર્થીઓ ખાસ વાંચો ! અમદાવાદની સ્કૂલોમાં પ્રિ બોર્ડ પરીક્ષાનું આયોજન, જાણો ક્યારે શરુ થશે આ પરીક્ષા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ DEO દ્વારા આ વર્ષે પણ પ્રિ બોર્ડની પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. જેમાં ધો. 10 નાં મુખ્ય પાંચ વિષયોની પરીક્ષા લેવાશે. જાન્યુઆરી માસનાં અંતે શહેરની સ્કૂલોમાં પ્રિ-બોર્ડ પરીક્ષા લેવાશે. આ પરીક્ષામાં ધો. 10 નાં અંદાજિત 45000 થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તેમજ આ પરીક્ષામાં કેન્દ્રીય પદ્ધતિ પેપર કાઢવામાં આવશે. માર્ચમાં લેવાનાર ધો. 10 ની બોર્ડની પરીક્ષાઓનો હાઉ વિદ્યાર્થીઓનાં મનમાંથી દૂર થાય તે માટે આ પ્રિ બોર્ડ પરીક્ષા લેવામાં આવે છે.

સામાન્ય રીતે પહેલીવાર બોર્ડની પરીક્ષા આપતા ધોરણ 10ના વિધાર્થીઓમાં પરીક્ષાનો ડર વધારે હોય છે. ત્યારે પરીક્ષાનો આ હાઉ દૂર કરવા અમદાવાદ DEOએ અનોખી પહેલ કરી છે. આ પરીક્ષા જાન્યુઆરી માસનાં અંત સુધી શહેરની સ્કૂલોમાં પ્રિ બોર્ડ પરીક્ષા યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા જાન્યુઆરી માસનાં અંતે યોજાશે. જેમાં ધો. 10 નાં અંદાજિત 45000 થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ પરીક્ષા તદ્દન બોર્ડની પરીક્ષાની જેમ જ લેવાશે. પ્રિ-બોર્ડ પરીક્ષામાં ધો. 10 નાં મુખ્ય પાંચ વિષયોની પરીક્ષા લેવાશે. તેમજ આ પરીક્ષાના પેપર પણ કેન્દ્રિય પદ્ધતિથી કાઢવામા આવશે.અને બોર્ડની પરીક્ષાની જેમ વિદ્યાર્થીઓને હોલ ટીકીટ પણ આપવામાં આવશે.

તમને જણાવી દઈએ કે અમદાવાદ DEO દ્વારા બોર્ડની ગત પરીક્ષા પહેલા ધોરણ-10ના વિદ્યાર્થીઓ માટે માટે પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો શાળાઓ દ્વારા ખુબ જ આવકારદાયક અમલ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને પણ પ્રિ-બોર્ડ પરીક્ષાને કારણે બોર્ડ પરીક્ષામાં ભયમુક્ત આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી શક્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...