Thursday, September 18, 2025

નવા સબ-વેરિઅન્ટ JN.1ના સૌથી વધુ કેસ ગુજરાતમાં, અમદાવાદમાં આજે વધુ 8 લોકો થયા કોરોના સંક્રમિત

Share

Share

અમદાવાદ : દેશમાં કોરોના વાયરસના સબ-વેરિઅન્ટ JN.1 થી સંક્રમિત દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. એક જ દિવસમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 109 થઈ ગઈ છે. જ્યારે આના એક દિવસ પહેલા એટલે કે મંગળવારે સંક્રમિત લોકોની સંખ્યા 69 હતી. જે એક જ દિવસમાં વધીને 109 થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 26 ડિસેમ્બર સુધી દેશમાં કુલ 109 JN.1 વેરિઅન્ટના કેસ નોંધાયા છે. આ કેસોમાં ગુજરાતમાંથી 36, કર્ણાટકમાંથી 34, ગોવામાં 14, મહારાષ્ટ્રમાંથી 9, કેરળમાંથી 6, રાજસ્થાનમાંથી 4, તમિલનાડુમાંથી 4 અને તેલંગાણામાંથી 2 કેસ નોંધાયા છે.

કોરોનાની લગતી માહિતી પ્રમાણે, આજે અમદાવાદમાં ગઇકાલે મંગળવારે વધુ 8 કોરોના કેસો નોંધાયા છે. આમાં 5 પુરુષ અને 3 મહિલાઓ સામેલ છે, આ તમામ દર્દીઓને હાલમાં સારવાર હેઠળ લેવામાં આવ્યા છે. કોરોના પૉઝિટીવ આવેલા આ 8 પૈકી 3 મુસાફરોની ટ્રાવેલિંગ હિસ્ટ્રી અમેરિકા અને દુબઇની સામે આવી છે. સતત વધી રહેલા કોરોના કેસોને લઇને ચિંતિત બન્યુ છે. ખાસ વાત છે કે, દેશમાં કોરોનાનું નવુ સબ વેરિએન્ટ જેએન 1 ખુબ જ ઝડપથી ફેલાઇ રહ્યું છે. અત્યારે અમદાવાદ શહેરમાં કોરોનાના 42 એક્ટિવ કેસો છે જેમાં 1 દર્દીનું મોત પણ થઇ ચૂક્યુ છે. કોરોના વકરતાં શહેરના નવરંગપુરા, નારણપુરા, જોધપુર, થલતેજ, ગોતા અને સરખેજ વિસ્તારના તમામ રહીશો ચિંતિત બન્યા છે.

અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં કોરોના સંક્રમિત એક વૃદ્ધાનું મોત થયું છે. વૃદ્ધાનું મોત સારવાર દરમિયાન થયું છે.દરિયાપુરના 82 વર્ષિય મહિલાનું મોત થયું છે.રવિવારે દરિયાપુરની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અક્ષરકૃપા હોસ્પિટલમાં દર્દીનું મોત નીપજ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...