Wednesday, March 4, 2026

નારણપુરામાં ઓફિસના પાર્કિંગમાં મુકેલી કારનો કાચ તોડી 15 લાખ રૂપિયાની ચોરી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ઘરફોડ ચોરી અને લૂંટની ઘટનાઓ બેફામ પણે વધી રહી છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાનો ડર હવે ઓસરી રહ્યો હોય તેવા દૃશ્યો દેખાય રહ્યાં છે. શનિવાર શહેરના નારણપુરા AEC રોડ પર આવેલા એક બિલ્ડિંગમાં પાર્ક કરેલી કારનો કાર તોડીને ગઠીયાએ 15 લાખ રૂપિયાની ચોરી કરતા ચકચાર મચી ગઈ છે. એજ્યુકેશન ઇમિગ્રેશન કન્સલટન્સીનું કામ કરતા યુવકની કારનો કાચ તોડીને ગઠીયાએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે.

મીડિયા રિપોર્ટ મુજબ નારણપુરા AEC રોડ પર આવેલી સુર્યા આયકોન બિલ્ડિંગમાં એજ્યુકેશન ઇમિગ્રેશન કન્સલટન્સી નામની ઓફિસ ધરાવીને ધંધો કરતા પ્રગ્નેશ ગોવાણીએ ગુજરાત યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં 15 લાખ રૂપિયાની ચોરીની ફરિયાદ કરી છે. પ્રગ્નેશ ગોવાણીને રૂપિયાની જરૂર હોવાથી તે પોતાની કારમાં મિત્ર આકાશ પ્રજાપતિને બેસાડીને સાયન્સ સિટી રોડ પર મિત્ર અંકિત પટેલ પાસે ગયા હતા.

ત્યારબાદ અંકિત, આકાશ અને પ્રગ્નેશ અંકુર ચાર રસ્તા પાસે આવ્યા હતા. ત્યા અંકિતે તેમને 17 લાખ રૂપિયા આપ્યા હતા. 17 લાખ રૂપિયા લીધા બાદ પ્રગ્નેશ બીજા ત્રણ લાખ રૂપિયા લેવા બળદેવ પટેલ પાસે ગયા હતા. બળદેવ પટેલે ત્રણે લાખ રૂપિયા આપ્યા બાદ પ્રગ્નેશ પાંચ લાખ રૂપિયા આંગડીયા પેઢીમાં મોકલી આપ્યા હતા. બીજા 15 લાખ રૂપિયા કારમાં મૂકીને પ્રગ્નેશ તેમજ આકાશ તેમની ઓફિસે પરત આવી ગયા હતા.બિલ્ડિંગના પાર્કિગમાં પ્રગ્નેશે તેમની કાર પાર્ક કરી હતી અને 15 લાખ રૂપિયા ભરેલી બેગ કારમાં રહેવા દીધી હતી.

થોડા સમય બાદ ઓફિસમાં કામ કરતી શ્વેતા સેટ્ટી નામની યુવતીએ પ્રગ્નેશને જણાવ્યુ હતુ કે, તમારી ગાડીનો કાચ તૂટેલો છે. પ્રગ્નેશે નીચે જઇને જોયું તો તેમની કારનો કાચ તૂટેલો હતો અને 15 લાખ રૂપિયા ભરેલી બેગ પણ ગાયબ હતી. પ્રગ્નેશે તરત જ પોલીસ કંટ્રોલરુમમાં ફોન કરી દીધો હતો. આ ઘટનાની જાણ ગુજરાત યુનિવર્સીટી પોલીસને થતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...