Saturday, September 13, 2025

નારણપુરામાં ઓફિસના પાર્કિંગમાં મુકેલી કારનો કાચ તોડી 15 લાખ રૂપિયાની ચોરી

Share

Share

અમદાવાદ : અમદાવાદમાં ઘરફોડ ચોરી અને લૂંટની ઘટનાઓ બેફામ પણે વધી રહી છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાનો ડર હવે ઓસરી રહ્યો હોય તેવા દૃશ્યો દેખાય રહ્યાં છે. શનિવાર શહેરના નારણપુરા AEC રોડ પર આવેલા એક બિલ્ડિંગમાં પાર્ક કરેલી કારનો કાર તોડીને ગઠીયાએ 15 લાખ રૂપિયાની ચોરી કરતા ચકચાર મચી ગઈ છે. એજ્યુકેશન ઇમિગ્રેશન કન્સલટન્સીનું કામ કરતા યુવકની કારનો કાચ તોડીને ગઠીયાએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે.

મીડિયા રિપોર્ટ મુજબ નારણપુરા AEC રોડ પર આવેલી સુર્યા આયકોન બિલ્ડિંગમાં એજ્યુકેશન ઇમિગ્રેશન કન્સલટન્સી નામની ઓફિસ ધરાવીને ધંધો કરતા પ્રગ્નેશ ગોવાણીએ ગુજરાત યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં 15 લાખ રૂપિયાની ચોરીની ફરિયાદ કરી છે. પ્રગ્નેશ ગોવાણીને રૂપિયાની જરૂર હોવાથી તે પોતાની કારમાં મિત્ર આકાશ પ્રજાપતિને બેસાડીને સાયન્સ સિટી રોડ પર મિત્ર અંકિત પટેલ પાસે ગયા હતા.

ત્યારબાદ અંકિત, આકાશ અને પ્રગ્નેશ અંકુર ચાર રસ્તા પાસે આવ્યા હતા. ત્યા અંકિતે તેમને 17 લાખ રૂપિયા આપ્યા હતા. 17 લાખ રૂપિયા લીધા બાદ પ્રગ્નેશ બીજા ત્રણ લાખ રૂપિયા લેવા બળદેવ પટેલ પાસે ગયા હતા. બળદેવ પટેલે ત્રણે લાખ રૂપિયા આપ્યા બાદ પ્રગ્નેશ પાંચ લાખ રૂપિયા આંગડીયા પેઢીમાં મોકલી આપ્યા હતા. બીજા 15 લાખ રૂપિયા કારમાં મૂકીને પ્રગ્નેશ તેમજ આકાશ તેમની ઓફિસે પરત આવી ગયા હતા.બિલ્ડિંગના પાર્કિગમાં પ્રગ્નેશે તેમની કાર પાર્ક કરી હતી અને 15 લાખ રૂપિયા ભરેલી બેગ કારમાં રહેવા દીધી હતી.

થોડા સમય બાદ ઓફિસમાં કામ કરતી શ્વેતા સેટ્ટી નામની યુવતીએ પ્રગ્નેશને જણાવ્યુ હતુ કે, તમારી ગાડીનો કાચ તૂટેલો છે. પ્રગ્નેશે નીચે જઇને જોયું તો તેમની કારનો કાચ તૂટેલો હતો અને 15 લાખ રૂપિયા ભરેલી બેગ પણ ગાયબ હતી. પ્રગ્નેશે તરત જ પોલીસ કંટ્રોલરુમમાં ફોન કરી દીધો હતો. આ ઘટનાની જાણ ગુજરાત યુનિવર્સીટી પોલીસને થતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...