Saturday, January 17, 2026

નારણપુરામાં ઓફિસના પાર્કિંગમાં મુકેલી કારનો કાચ તોડી 15 લાખ રૂપિયાની ચોરી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ઘરફોડ ચોરી અને લૂંટની ઘટનાઓ બેફામ પણે વધી રહી છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાનો ડર હવે ઓસરી રહ્યો હોય તેવા દૃશ્યો દેખાય રહ્યાં છે. શનિવાર શહેરના નારણપુરા AEC રોડ પર આવેલા એક બિલ્ડિંગમાં પાર્ક કરેલી કારનો કાર તોડીને ગઠીયાએ 15 લાખ રૂપિયાની ચોરી કરતા ચકચાર મચી ગઈ છે. એજ્યુકેશન ઇમિગ્રેશન કન્સલટન્સીનું કામ કરતા યુવકની કારનો કાચ તોડીને ગઠીયાએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે.

મીડિયા રિપોર્ટ મુજબ નારણપુરા AEC રોડ પર આવેલી સુર્યા આયકોન બિલ્ડિંગમાં એજ્યુકેશન ઇમિગ્રેશન કન્સલટન્સી નામની ઓફિસ ધરાવીને ધંધો કરતા પ્રગ્નેશ ગોવાણીએ ગુજરાત યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં 15 લાખ રૂપિયાની ચોરીની ફરિયાદ કરી છે. પ્રગ્નેશ ગોવાણીને રૂપિયાની જરૂર હોવાથી તે પોતાની કારમાં મિત્ર આકાશ પ્રજાપતિને બેસાડીને સાયન્સ સિટી રોડ પર મિત્ર અંકિત પટેલ પાસે ગયા હતા.

ત્યારબાદ અંકિત, આકાશ અને પ્રગ્નેશ અંકુર ચાર રસ્તા પાસે આવ્યા હતા. ત્યા અંકિતે તેમને 17 લાખ રૂપિયા આપ્યા હતા. 17 લાખ રૂપિયા લીધા બાદ પ્રગ્નેશ બીજા ત્રણ લાખ રૂપિયા લેવા બળદેવ પટેલ પાસે ગયા હતા. બળદેવ પટેલે ત્રણે લાખ રૂપિયા આપ્યા બાદ પ્રગ્નેશ પાંચ લાખ રૂપિયા આંગડીયા પેઢીમાં મોકલી આપ્યા હતા. બીજા 15 લાખ રૂપિયા કારમાં મૂકીને પ્રગ્નેશ તેમજ આકાશ તેમની ઓફિસે પરત આવી ગયા હતા.બિલ્ડિંગના પાર્કિગમાં પ્રગ્નેશે તેમની કાર પાર્ક કરી હતી અને 15 લાખ રૂપિયા ભરેલી બેગ કારમાં રહેવા દીધી હતી.

થોડા સમય બાદ ઓફિસમાં કામ કરતી શ્વેતા સેટ્ટી નામની યુવતીએ પ્રગ્નેશને જણાવ્યુ હતુ કે, તમારી ગાડીનો કાચ તૂટેલો છે. પ્રગ્નેશે નીચે જઇને જોયું તો તેમની કારનો કાચ તૂટેલો હતો અને 15 લાખ રૂપિયા ભરેલી બેગ પણ ગાયબ હતી. પ્રગ્નેશે તરત જ પોલીસ કંટ્રોલરુમમાં ફોન કરી દીધો હતો. આ ઘટનાની જાણ ગુજરાત યુનિવર્સીટી પોલીસને થતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...