Wednesday, September 17, 2025

ગુજરાતમાં નવું નજરાણું ઉમેરાયું, રસ્તા પર હવે ડબલ ડેકર એસી ઈ-બસ દોડશે, આ વિશેષતાઓથી સજ્જ હશે બસ

Share

Share

અમદાવાદ: ગુજરાતમાં નવું નજરાણું ઉમેરાયું છે. હવે રસ્તા પર ડબલ ડેકર એસી ઈ-બસ દોડશે. CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ બસની મુસાફરી કરી હતી. વાઈબ્રન્ટ સમિટના પ્રિ ઈવેન્ટના ભાગરુપે 2 બસ ખુલ્લી મુકાઈ છે. ડબલ ડેકર AC ઇલેક્ટ્રીક બસનું વાઈબ્રન્ટ સમિટમાં વહન કરાશે. વાયબ્રન્ટ ગુજરાત સમિટ-2024ના ભાગરૂપે સંચાલન કરવામાં આવશે. ત્યાર બાદ સરખેજ, ગાંધીનગર, ગિફ્ટ સિટી રૂટ પ્રાથમિક સંચાલન શરૂ થશે.

CM ભુપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં ડબલ ડેકર AC ઈ-બસ લોકાર્પણ કર્યું. આ વાઈબ્રન્ટ સમિટના પ્રિ-ઈવેન્ટના ભાગરૂપે બે બસ ખુલી મુકાઈ છે. લંડનની ડબલ ડેકર AC ઈલેક્ટ્રીક બસનો ઉપયોગ વાઈબ્રન્ટ સમિટમાં અવરજવર માટે કરવામા આવશે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટ -2024 ના ભાગરૂપે બસનું સંચાલન કરવામાં આવશે. ત્યાર બાદ સરખેજ-ગાંધીનગર-ગિફ્ટ સિટી રૂટ પ્રાથમિક સંચાલન શરૂ કરાશે.

ડબલ ડેકર એસી ઈ-બસની વિશેષતા:
યુએસબી ચાર્જ, વાઈફાઈ
રિડીંગ લાઇટ અને કન્ફર્ટ સીટ
63 પ્લસ ડ્રાઇવરની કેપીસીટી
ચાર્જ થયા બાદ 250 કિમી ચાલશે
દરરોજનું સંચાલન 200 કિમી કરાશે
ચાર્જ સમય દોઢ કલાક થી 3 કલાક લાગશે
900 એમ એમ ફલોર હાઇટ
4750 એમએમ હાઇટ
9800 એમએમ લંબાઇ
2600 એમએમ પહોળાઇ

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...