Thursday, January 15, 2026

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે આ મંદિર ટ્રસ્ટની અનોખી પહેલ, વધુ 501 દીકરીને દત્તક લેશે

spot_img
Share

મહેમદાબાદ : દેશભરમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વસની ઉજવણી કરાશે ત્યારે મહેમદાવાદમાં આવેલું સિદ્ધિ વિનાયક મંદિર ટ્રસ્ટ પણ એક અનોખી પહેલ કરવા જઈ રહ્યું છે. ‘દીકરી દેવો ભવ’ના સૂત્રને સાર્થક કરતી પહેલ દ્વારા મહેમદાવાદ તાલુકાનાં 54 ગામડાંની 501 દીકરીને દત્તક લેવામાં આવશે.અને મંદિરના પ્રાંગણમાં 501 કન્યાનું પૂજન કરવામાં આવશે.

મંદિર ટ્રસ્ટ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે, 501 દીકરીનો આજીવન ખર્ચ ઉપાડી લેવામાં આવશે. સાથે સાથે તેમના અભ્યાસ ખર્ચથી લઈને તમામ ખર્ચ મંદિર ટ્રસ્ટ લેશે. સાથે સાથે આવનારા દિવસોમાં દીકરીઓને ઘરમાં કોઈ વ્યસન કરે તો કેવી રીતે અટકાવવા તે અંગેની તાલીમ પણ આપવામાં આવશે. મંદિરના પ્રાંગણમાં 501 કન્યાનું પૂજન કરવામાં આવશે.સાથે સાથે મંદિરમાં ત્રણ દિવસીય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞમાં આશરે 10 હજારથી વધારે ભક્તો દર્શનનો લાભ લેશે.

મંદિર ટ્રસ્ટ અનુસાર, પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે, કોઈ પણ વ્યક્તિનું આપણા ઘરમાં સ્વાગત કરવું હોય તો તેનું પહેલાં પૂજન કરવું પડે, તે કારણથી મંદિરની હાજર તમામ કન્યાઓનું પૂજન કર્યા બાદ તેમને દત્તક લેવામાં આવશે. તમામ કન્યાઓને રામ પ્રભુની પ્રતિમા સ્વરૂપે ગોઠવણી કરીને નકશો તૈયાર કરવામાં આવશે તેમ જ તમામ દીકરીઓને શપથ લેવડાવવામાં આવશે કે ઘર, સમાજ કે સોસાયટીમાં કોઈ વ્યસન કરતું હશે તો તેને અટકાવીશું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...