Monday, November 10, 2025

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે આ મંદિર ટ્રસ્ટની અનોખી પહેલ, વધુ 501 દીકરીને દત્તક લેશે

spot_img
Share

મહેમદાબાદ : દેશભરમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વસની ઉજવણી કરાશે ત્યારે મહેમદાવાદમાં આવેલું સિદ્ધિ વિનાયક મંદિર ટ્રસ્ટ પણ એક અનોખી પહેલ કરવા જઈ રહ્યું છે. ‘દીકરી દેવો ભવ’ના સૂત્રને સાર્થક કરતી પહેલ દ્વારા મહેમદાવાદ તાલુકાનાં 54 ગામડાંની 501 દીકરીને દત્તક લેવામાં આવશે.અને મંદિરના પ્રાંગણમાં 501 કન્યાનું પૂજન કરવામાં આવશે.

મંદિર ટ્રસ્ટ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે, 501 દીકરીનો આજીવન ખર્ચ ઉપાડી લેવામાં આવશે. સાથે સાથે તેમના અભ્યાસ ખર્ચથી લઈને તમામ ખર્ચ મંદિર ટ્રસ્ટ લેશે. સાથે સાથે આવનારા દિવસોમાં દીકરીઓને ઘરમાં કોઈ વ્યસન કરે તો કેવી રીતે અટકાવવા તે અંગેની તાલીમ પણ આપવામાં આવશે. મંદિરના પ્રાંગણમાં 501 કન્યાનું પૂજન કરવામાં આવશે.સાથે સાથે મંદિરમાં ત્રણ દિવસીય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞમાં આશરે 10 હજારથી વધારે ભક્તો દર્શનનો લાભ લેશે.

મંદિર ટ્રસ્ટ અનુસાર, પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે, કોઈ પણ વ્યક્તિનું આપણા ઘરમાં સ્વાગત કરવું હોય તો તેનું પહેલાં પૂજન કરવું પડે, તે કારણથી મંદિરની હાજર તમામ કન્યાઓનું પૂજન કર્યા બાદ તેમને દત્તક લેવામાં આવશે. તમામ કન્યાઓને રામ પ્રભુની પ્રતિમા સ્વરૂપે ગોઠવણી કરીને નકશો તૈયાર કરવામાં આવશે તેમ જ તમામ દીકરીઓને શપથ લેવડાવવામાં આવશે કે ઘર, સમાજ કે સોસાયટીમાં કોઈ વ્યસન કરતું હશે તો તેને અટકાવીશું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...