Monday, March 2, 2026

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે આ મંદિર ટ્રસ્ટની અનોખી પહેલ, વધુ 501 દીકરીને દત્તક લેશે

spot_img
Share

મહેમદાબાદ : દેશભરમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વસની ઉજવણી કરાશે ત્યારે મહેમદાવાદમાં આવેલું સિદ્ધિ વિનાયક મંદિર ટ્રસ્ટ પણ એક અનોખી પહેલ કરવા જઈ રહ્યું છે. ‘દીકરી દેવો ભવ’ના સૂત્રને સાર્થક કરતી પહેલ દ્વારા મહેમદાવાદ તાલુકાનાં 54 ગામડાંની 501 દીકરીને દત્તક લેવામાં આવશે.અને મંદિરના પ્રાંગણમાં 501 કન્યાનું પૂજન કરવામાં આવશે.

મંદિર ટ્રસ્ટ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે, 501 દીકરીનો આજીવન ખર્ચ ઉપાડી લેવામાં આવશે. સાથે સાથે તેમના અભ્યાસ ખર્ચથી લઈને તમામ ખર્ચ મંદિર ટ્રસ્ટ લેશે. સાથે સાથે આવનારા દિવસોમાં દીકરીઓને ઘરમાં કોઈ વ્યસન કરે તો કેવી રીતે અટકાવવા તે અંગેની તાલીમ પણ આપવામાં આવશે. મંદિરના પ્રાંગણમાં 501 કન્યાનું પૂજન કરવામાં આવશે.સાથે સાથે મંદિરમાં ત્રણ દિવસીય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞમાં આશરે 10 હજારથી વધારે ભક્તો દર્શનનો લાભ લેશે.

મંદિર ટ્રસ્ટ અનુસાર, પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે, કોઈ પણ વ્યક્તિનું આપણા ઘરમાં સ્વાગત કરવું હોય તો તેનું પહેલાં પૂજન કરવું પડે, તે કારણથી મંદિરની હાજર તમામ કન્યાઓનું પૂજન કર્યા બાદ તેમને દત્તક લેવામાં આવશે. તમામ કન્યાઓને રામ પ્રભુની પ્રતિમા સ્વરૂપે ગોઠવણી કરીને નકશો તૈયાર કરવામાં આવશે તેમ જ તમામ દીકરીઓને શપથ લેવડાવવામાં આવશે કે ઘર, સમાજ કે સોસાયટીમાં કોઈ વ્યસન કરતું હશે તો તેને અટકાવીશું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...