Tuesday, April 28, 2026

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સુખાકારી વધારતો ‘હેન્ડ બેલ્ટ’ નો નવતર પ્રયોગ

spot_img
Share

અમદાવાદ : વર્ષ 2024 ના પ્રારંભે સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે આવતા ઇમરજન્સી વાળા દર્દીઓ માટે બેલ્ટ કલર કોડની નવીન શરૂઆત કરવામાં આવી છે. જેમાં ઇમરજન્સી સારવાર માટે આવતા દર્દીઓની શારીરિક સ્થિતિ અને રોગની બીમારીની ગંભીરતાને ધ્યાનમાં રાખી લાલ, પીળો, લીલો, ગુલાબી અને વાદળી એમ પાંચ પ્રકારના બેલ્ટ આપવામાં લગાવી જૂદા પાડવામાં આવશે. આ પદ્ધતિની મદદથી ડોક્ટરોએ દર્દીની સારવાર કરવામાં સરળતા રહેશે.

દરરોજ આશરે 500 જેટલા દર્દીઓ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે આવે છે. આ ઘસારાને પહોંચી વળવા માટે સિવિલ હોસ્પિટલનો સ્ટાફ સતત ખડેપગે રહે છે. ત્યારે ઈમરજન્સી વિભાગમાં આવેલા દર્દીઓને કયા પ્રકારની તાત્કાલિક સારવારની જરૂર છે એવું નક્કી કરવા માટે ખાસ અલગ અલગ રંગના બેલ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે.

સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ રાકેશ જોશી એ આ સંદર્ભે જણાવ્યું હતું કે, આ બેલ્ટ સિસ્ટમથી આકસ્મિક સ્થિતિમા આવતા દર્દીના જીવ બચાવવા અસરકારક સાબિત થશે. નવતર પહેલ છે દરેક લોકોનો દરેક વિભાગનો સાથ સહકાર ખૂબ જરૂરી છે . ટેગ ઇમરજન્સી મેડિસીન વિભાગ દ્વારા લગાવવામાં આવે છે એને નોંધ કરી અને જો દર્દીની સારવાર કરવામાં આવશે તો કદાચ આપણે કોઈ સિરિયસ વ્યક્તિના જીવને ત્વરિત સારવાર આપીને બચાવવામાં સફળતા મેળવી શકીશું.

ઈમરજન્સી વિભાગમાં આવેલ દર્દીને ક્યા પ્રકારની તાત્કાલિક સારવારની જરૂર છે એવું નક્કી કરવા આ બેલ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે.હોસ્પિટલમાં આવતા દર્દીને Emergency મેડિસીન વિભાગ દ્વારા તાત્કાલિક એસેસમેન્ટ કરી નક્કી કરવામાં આવશે કે દર્દીને કેટલી ગંભીર ઇજાઓ છે અને કેટલી સઘન સારવારની જરૂર છે.

જે દર્દી “અતિ ગંભીર” અવસ્થામાં ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવે છે એમને ઇમરજન્સી મેડિસીન વિભાગ દ્વારા રેડ બેલ્ટ પહેરવામાં આવે છે. જે લોકો “ગંભીર અવસ્થા” માં આવે છે એ લોકોને યલો બેલ્ટ અને જે લોકોની પરિસ્થિતિ સ્ટેબલ હોય એ લોકોને ગ્રીનબેલ્ટ પહેરાવવામાં આવે છે.વધુમાં જો બાબો હોય તો એને બ્લુ બેલ્ટ અને જો બેબી હોય તો પિંક બેલ્ટ પહેરાવવામાં આવે છે. આનાથી બાબો થયો છે કે બેબી તે નક્કી કરવામાં સરળતા રહેશે. આમ આ બેલ્ટ સિસ્ટમના લીધે ઇમરજન્સીમાં આવતા દર્દીને જ્યારે તબીબો પાસે એક સાથે ઘણા દર્દી હોય ત્યારે માત્ર બેલ્ટ જોઈ કેસ અને દર્દીની બિમારીની ગંભીરતા માપી શકાય છે અને તાત્કાલિક સારવાર ચાલુ કરી શકાય છે.

એ જ રીતે દર્દીઓ જ્યારે એક્સ-રે, સોનોગ્રાફી કે સીટી સ્કેન માટે જતા હોય ત્યારે ત્યાના સ્ટાફને પણ બેલ્ટના આધારે કેસ અને એની સિવિયારીટીની તાત્કાલિક ખબર પડે છે. સિવિલ હોસ્પિટલમાં કામ કરતા કોઈપણ સ્ટાફને દર્દીના કાંડા પર લગાવેલા બેલ્ટ પરથી એની કન્ડિશન વિશે અંદાજો આવી જાય છે અને દરેક વ્યક્તિ તેની તાત્કાલિક સારવાર માટે એલર્ટ બને છે. દરેક વિભાગ અને હોસ્પિટલ સ્ટાફને કલર કોડ વિશે જાણ કરી દીધી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...