Saturday, January 17, 2026

ગુજરાતીઓ આનંદો ! આવતીકાલથી ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ કાઢી શકાશે, જાણી લો આખી પ્રોસેસ

spot_img
Share

અમદાવાદ : ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવું તે લોકો માટે એક પડકાર બની ગયો છે. પરંતુ હવે ગુજરાતમાં નવા ડ્રાઇવિંગ લાયસન્સ ઈચ્છુકો માટે રાહતના સમાચાર છે. આવતીકાલ એટલે કે 7 જુલાઇથી ઘેર બેઠાં લર્નિંગ લાયસન્સ કાઢી શકાશે.કારણ કે RTOએ આવતીકાલથી (7 જુલાઈ, 2025)થી “ફેસલેસ” લર્નિંગ લાઇસન્સ સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે, જેના દ્વારા અરજદારો ઘરે બેઠા જ ઓનલાઇન ટેસ્ટ આપીને લર્નિંગ લાઇસન્સ મેળવી શકશે. આ નવી સુવિધા આધાર બેઝ્ડ e-KYC પ્રક્રિયા દ્વારા કાર્યરત થશે, જેનાથી RTO ઓફિસમાં વારંવાર ખાવા પડતા ધક્કા અને ત્યાં પહોંચીને પણ લાંબી લાઇનોમાં ઊભા રહેવાની મુશ્કેલીનો અંત આવશે.

વાહનવ્યવહાર કમિશનરની કચેરીના જણાવ્યાનુંસાર, આ સેવાનો લાભ આવતીકાલથી (7 જુલાઈ, સોમવાર) રાજ્યભરના અરજદારો ઘરે બેઠા જ લઈ શકશે. પરીક્ષા આપવા માટે અરજદારોનો નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવો જરૂરી છે, જેથી મોબાઇલ નંબર પર ઓટીપી આવશે અને તેના આધારે ઓનલાઇન ટેસ્ટ આપી શકાશે. ફેસલેસ સેવાની સાથે-સાથે પરંપરાગત ઓફલાઇન પદ્ધતિ પણ ચાલુ રહેશે. જે લોકો ઓનલાઇન સેવાનો લાભ લેવા ન ઇચ્છે અથવા ટેકનિકલ મુશ્કેલીઓનો સામનો કરે, તેઓ RTO ઓફિસમાં જઈને લર્નિંગ લાઇસન્સ માટે અરજી કરી શકશે.

આ નવી પહેલ હેઠળ, અરજદારો ઘરે બેઠા ઓનલાઇન પોર્ટલ પર જઈને લર્નિંગ લાઇસન્સ માટે અરજી કરી શકશે. આધાર કાર્ડના આધારે e-KYC દ્વારા અરજદારોની ઓળખની ચકાસણી થશે, અને બાદમાં ઓનલાઇન ટેસ્ટ આપી શકશે. આ ટેસ્ટમાં ટ્રાફિક નિયમો, રોડ સેફ્ટી અને વાહન ચલાવવાના મૂળભૂત જ્ઞાનનું મૂલ્યાંકન કરવામાં આવશે. સફળતાપૂર્વક ટેસ્ટ પાસ કરનાર અરજદારોને લર્નિંગ લાઇસન્સ ડિજિટલ ફોર્મેટમાં આપવામાં આવશે. જોકે પાકું ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે હજુ પણ ફરજિયાતપણે RTO ઓફિસ જવાનું રહેશે.

ગુજરાતમાં દર વર્ષે લાખો લોકો લર્નિંગ લાઇસન્સ માટે અરજી કરે છે, અને RTO ઓફિસમાં લાંબી કતારો અને સમયનો વ્યય થવો સામાન્ય બાબત છે. ફેસલેસ સેવા શરૂ થવાથી નાગરિકોનો સમય અને મહેનત પણ બચશે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોના લોકો માટે આ સુવિધા વરદાન સાબિત થશે. આ ઉપરાંત, ડિજિટલ પ્રક્રિયા પારદર્શિતા વધારશે અને ભ્રષ્ટાચારની શક્યતાઓ ઘટાડશે.

ઘરે બેઠા લર્નિંગ લાઇસન્સ મેળવવા માટે જરૂરી સાધનો…
લેપટોપ, ડેસ્કટોપ અથવા કમ્પ્યુટર
વેબકેમ અથવા કેમેરો
હાઇસ્પીડ ઇન્ટરનેટ કનેક્શન
મોબાઇલનો ઉપયોગ કરી શકાય, પરંતુ ફ્રન્ટ કેમેરાનું રિઝલ્ટ ક્લિન હોવું જરૂરી

કેવી રીતે અરજી કરવી?
સૌથી પહેલા www.parivahan.gov.in વેબસાઇટ પર જાઓ.
આધાર કાર્ડની વિગતો દ્વારા તમારી ઓળખની ચકાસણી કરો.
અરજી કર્યાના સાત દિવસમાં ફરજિયાતપણે રોડ સેફ્ટી ટ્યુટોરિયલ જુઓ.
ટ્રાફિક નિયમો અને સલામતી અંગેનો ઓનલાઇન ટેસ્ટ આપો.
ટેસ્ટ પાસ કર્યા બાદ લર્નિંગ લાઇસન્સ ડિજિટલી ડાઉનલોડ કરો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...