Wednesday, March 4, 2026

અમદાવાદીઓ ટેક્સ બાકી હોય તો ભરી દેજો ! એક જ દિવસમાં 22000થી વધુ કોમર્શિયલ મિલકતો AMC કરી સીલ

spot_img
Share

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ટેક્સ વિભાગ દ્વારા બાકી ટેક્સની વસુલાત માટે શહેરના વિવિધ વિસ્તારોમાં મિલકત સીલીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે. અમદાવાદમાં બાકી મિલકતવેરાની વસૂલાત માટે ટ્રીગર ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે, ત્યારે બાકી પ્રોપર્ટી ટેક્ષ વસૂલવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આકરા પાણીએ દેખાઈ રહ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી ટેક્સની ભરપાઈ કરવા માટે વ્યાજમાફી સ્કીમ અમલમાં મુકવાની સાથે જે કરદાતાઓ વર્ષોથી તેમનો બાકી મિલકતવેરો ભરપાઈ કરતા નથી એમની મિલકતોને સીલ કરી ટેક્સની વસૂલાત કરવામાં આવી રહી છે. આજે એક જ દિવસમાં 22000થી વધુ કોર્મશિયલ મિલકતો સીલ કરાઈ છે. AMCના ચોપડે તમામ 7 ઝોનમાં બાકી પ્રોપર્ટી ટેક્સ વસૂલવા કડક સીલિંગ ઝુંબેશ ચાલી રહી છે. એક જ દિવસમાં 22624 કોર્મશિયલ મિલકતો સીલ કરતા 14.34 કરોડની વસુલાત કરવામાં આવી છે.

નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા પણ AMC દ્વારા આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં એક જ દિવસમાં શહેરના સાત ઝોનમાં બાકીદારોની કુલ મળીને 20789 મિલકત મ્યુનિશિપલ તંત્ર દ્વારા સીલ કરાઈ હતી. ઉત્તરઝોનમાં સૌથી વધુ 6025 મિલકત સીલ કરાઈ હતી. દિવસના અંતે મિલકતો સીલ કરી સાત ઝોનમાંથી રુપિયા 15.78 કરોડ જેટલી માતબર રકમની વસૂલાત કરવામાં આવી હતી.

ઉત્તરઝોનના અમદુપુરા વોર્ડમાં આવેલી સુમેલ-4માં આવેલ કોમર્શિયલ ઓફિસો ઉપરાંત સુમેલ-10માં આવેલી ઓફિસો તથા દુકાનો, નવા નરોડા તથા હંસપુરા વોર્ડમા આવલા જુદા-જુદા કોમ્પલેકસની દુકાનો તથા ઓફિસો બાકી મિલકતવેરાની વસૂલાત માટે સીલ કરવામાં આવી હતી. બાપા સીતારામ ચોક વોર્ડમાં આવેલી જુદી-જુદી મિલકતો ઉપરાંત મોટા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પણ સીલીંગ કરવામા આવ્યું હતું. કુલ 6025 મિલકત સીલ કરી રુપિયા 2.87 કરોડની રકમ બાકી મિલકતવેરા પેટે વસૂલ કરાઈ હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...