Tuesday, September 16, 2025

અમદાવાદીઓ ટેક્સ બાકી હોય તો ભરી દેજો ! એક જ દિવસમાં 22000થી વધુ કોમર્શિયલ મિલકતો AMC કરી સીલ

Share

Share

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ટેક્સ વિભાગ દ્વારા બાકી ટેક્સની વસુલાત માટે શહેરના વિવિધ વિસ્તારોમાં મિલકત સીલીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે. અમદાવાદમાં બાકી મિલકતવેરાની વસૂલાત માટે ટ્રીગર ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે, ત્યારે બાકી પ્રોપર્ટી ટેક્ષ વસૂલવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આકરા પાણીએ દેખાઈ રહ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી ટેક્સની ભરપાઈ કરવા માટે વ્યાજમાફી સ્કીમ અમલમાં મુકવાની સાથે જે કરદાતાઓ વર્ષોથી તેમનો બાકી મિલકતવેરો ભરપાઈ કરતા નથી એમની મિલકતોને સીલ કરી ટેક્સની વસૂલાત કરવામાં આવી રહી છે. આજે એક જ દિવસમાં 22000થી વધુ કોર્મશિયલ મિલકતો સીલ કરાઈ છે. AMCના ચોપડે તમામ 7 ઝોનમાં બાકી પ્રોપર્ટી ટેક્સ વસૂલવા કડક સીલિંગ ઝુંબેશ ચાલી રહી છે. એક જ દિવસમાં 22624 કોર્મશિયલ મિલકતો સીલ કરતા 14.34 કરોડની વસુલાત કરવામાં આવી છે.

નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા પણ AMC દ્વારા આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં એક જ દિવસમાં શહેરના સાત ઝોનમાં બાકીદારોની કુલ મળીને 20789 મિલકત મ્યુનિશિપલ તંત્ર દ્વારા સીલ કરાઈ હતી. ઉત્તરઝોનમાં સૌથી વધુ 6025 મિલકત સીલ કરાઈ હતી. દિવસના અંતે મિલકતો સીલ કરી સાત ઝોનમાંથી રુપિયા 15.78 કરોડ જેટલી માતબર રકમની વસૂલાત કરવામાં આવી હતી.

ઉત્તરઝોનના અમદુપુરા વોર્ડમાં આવેલી સુમેલ-4માં આવેલ કોમર્શિયલ ઓફિસો ઉપરાંત સુમેલ-10માં આવેલી ઓફિસો તથા દુકાનો, નવા નરોડા તથા હંસપુરા વોર્ડમા આવલા જુદા-જુદા કોમ્પલેકસની દુકાનો તથા ઓફિસો બાકી મિલકતવેરાની વસૂલાત માટે સીલ કરવામાં આવી હતી. બાપા સીતારામ ચોક વોર્ડમાં આવેલી જુદી-જુદી મિલકતો ઉપરાંત મોટા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પણ સીલીંગ કરવામા આવ્યું હતું. કુલ 6025 મિલકત સીલ કરી રુપિયા 2.87 કરોડની રકમ બાકી મિલકતવેરા પેટે વસૂલ કરાઈ હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...