Wednesday, September 17, 2025

PM મોદી ફરી આવશે ગુજરાત, આ તારીખે ગિફ્ટ સિટી રૂટની મેટ્રો સેવાને આપી શકે લીલીઝંડી

Share

Share

ગાંધીનગર : લોકસભાની ચૂંટણી હવે નજીકમાં જ છે. BJP-કોંગ્રેસ સહિત વિવિધ પક્ષો તૈયારીઓમાં લાગી ગયા છે, ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા PM નરેન્દ્ર મોદી ફરી એક વાર ગુજરાત આવવાના છે. 12 માર્ચે ગિફ્ટ સિટી રૂટની મેટ્રો સેવાને લીલીઝંડી આપી શકે છે. આ દિવસે તેઓ સાબરમતી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત પણ કરશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ લોકસભાની ચૂંટણી પહેલા PM નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત આવી શકે છે. PM નરેન્દ્ર મોદી 12 માર્ચે અમદાવાદ આવી શકે છે. 12 માર્ચે વડાપ્રધાનના હસ્તે ડ્રીમ પ્રોજેક્ટની શરૂઆત થઈ શકે છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગિફ્ટ સિટી રૂટની મેટ્રો સેવાને PM મોદી લીલીઝંડી આપી શકે છે. સાથે જ સાબરમતી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું તેઓ ખાતમુહૂર્ત પણ કરી શકે છે.

12 માર્ચથી, કાર્ગો મોટર્સ અને બત્રીસી ભવન વચ્ચે ગાંધી આશ્રમની સામે અને તેની આસપાસના આશ્રમ રોડનો વિસ્તાર વાહનોની અવરજવર માટે બંધ રહેશે. જે સ્ટ્રેચ કાયમી ધોરણે ટ્રાફિક માટે બંધ કરવામાં આવનાર છે, તેની લંબાઈ લગભગ 500 મીટર છે.જેનો ટ્રાયલ ચાલી રહ્યો છે.

મહત્વનું છે કે થોડા દિવસ પહેલા જ 22,24, 25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવીને ગયા છે. આ દરમિયાન 44 હજાર કરોડ રુપિયાથી વધુના વિકાસકાર્યોની ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટમાં એઈમ્સ હોસ્પિટલના ઉદ્દઘાટન બાદ જંગી જનસભાને સંબોધિત કરી. જેમા તેમણે 22 વર્ષ પહેલાના તેમના સંસ્મરણોને યાદ કર્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...