Friday, March 13, 2026

PM મોદી ફરી આવશે ગુજરાત, આ તારીખે ગિફ્ટ સિટી રૂટની મેટ્રો સેવાને આપી શકે લીલીઝંડી

spot_img
Share

ગાંધીનગર : લોકસભાની ચૂંટણી હવે નજીકમાં જ છે. BJP-કોંગ્રેસ સહિત વિવિધ પક્ષો તૈયારીઓમાં લાગી ગયા છે, ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા PM નરેન્દ્ર મોદી ફરી એક વાર ગુજરાત આવવાના છે. 12 માર્ચે ગિફ્ટ સિટી રૂટની મેટ્રો સેવાને લીલીઝંડી આપી શકે છે. આ દિવસે તેઓ સાબરમતી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત પણ કરશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ લોકસભાની ચૂંટણી પહેલા PM નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત આવી શકે છે. PM નરેન્દ્ર મોદી 12 માર્ચે અમદાવાદ આવી શકે છે. 12 માર્ચે વડાપ્રધાનના હસ્તે ડ્રીમ પ્રોજેક્ટની શરૂઆત થઈ શકે છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગિફ્ટ સિટી રૂટની મેટ્રો સેવાને PM મોદી લીલીઝંડી આપી શકે છે. સાથે જ સાબરમતી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું તેઓ ખાતમુહૂર્ત પણ કરી શકે છે.

12 માર્ચથી, કાર્ગો મોટર્સ અને બત્રીસી ભવન વચ્ચે ગાંધી આશ્રમની સામે અને તેની આસપાસના આશ્રમ રોડનો વિસ્તાર વાહનોની અવરજવર માટે બંધ રહેશે. જે સ્ટ્રેચ કાયમી ધોરણે ટ્રાફિક માટે બંધ કરવામાં આવનાર છે, તેની લંબાઈ લગભગ 500 મીટર છે.જેનો ટ્રાયલ ચાલી રહ્યો છે.

મહત્વનું છે કે થોડા દિવસ પહેલા જ 22,24, 25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવીને ગયા છે. આ દરમિયાન 44 હજાર કરોડ રુપિયાથી વધુના વિકાસકાર્યોની ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટમાં એઈમ્સ હોસ્પિટલના ઉદ્દઘાટન બાદ જંગી જનસભાને સંબોધિત કરી. જેમા તેમણે 22 વર્ષ પહેલાના તેમના સંસ્મરણોને યાદ કર્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...