Monday, November 10, 2025

કોંગ્રેસના સેનાપતિ ભાજપના સિપાહી ! અર્જુન મોઢવાડિયા-અંબરીશ ડેરે કર્યા કેસરિયા

spot_img
Share

ગાંધીનગર : હાલ ગુજરાતની રાજનીતિમાં કોંગ્રેસ માટે આ અત્યાર સુધીનો સૌથી મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. કારણકે, એક સમયે ગુજરાત કોંગ્રેસના કેપ્ટન કે સેનાપતિ રહેલાં, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ રહેલાં અને ભાજપ અને પ્રધાનમંત્રી મોદીનો સૌથી વધુ વિરોધ કરનાર અર્જૂન મોઢવાડિયા આજે ભાજપમાં જોડાઈ ગયા છે. આ સાથે જ અમરેલી જિલ્લાના રાજુલાથી કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા અંબરીષ ડેરે પણ ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. જ્યારે જામનગરથી મૂળૂ કંડોરિયા પણ ભાજપમાં જોડાઈ ગયાં છે.

ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં બંને નેતાઓ ભાજપમાં સામેલ થયા છે. મોઢવાડિયા અને અંબરીશ ડેરને ભાજપમાં જોડ્યા બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સમારંભમાં કાર્યકર્તાઓનું સ્વાગત કરતા જણાવ્યુ કે, ‘લોકોને મદદ કરવાની ભાવના માટેનુ પ્લેટફોર્મ મળે તે માટે તમે પીએમ મોદીની આગેવાનીમાં ભાજપમાં જોડાઇ રહ્યા છે તે બદલ આપનું સ્વાગત છે.’વિકાસના નામે જીતાય નહિ એમ કહેનારા લોકોને પરિણામ સમયે ખ્યાલ આવે છે કે લોકો વિકાસ ઈચ્છે છે. કમલમ પર આજે પાર્ટી જેવો માહોલ છે.

 

ભાજપમાં જોડાતાની સાથે અર્જૂન મોઢવાડિયાએ કહ્યુંકે, હું દાયકાઓ સુધી કોંગ્રેસમાં રહ્યો પણ ત્યાં મને ગુંગળામણ થતી હતી. ત્યાં લોકહિતની કોઈ વાત થતી નથી. મને પ્રધાનમંત્રી મોદીની કાર્યશૈલીમાં શ્રદ્ધા છે. હું કોઈપણ લોભ, લાલચ કે શરત વિના ભાજપમાં એક સામાન્ય કાર્યકર તરીકે જોડાયો છું. હાઈકમાન્ડ મને જે જવાબદારી સોંપશે હું તે નિભાવીશ.

જ્યારે અંબરીષ ડેરે કહ્યુંકે, હું રાજકારણમાં લોકોની ભલાઈ માટે આવ્યો છું. મને લાગે છેકે, ભાજપમાં મને એ કામ કરવાની તક મળશે. હું પ્રધાનમંત્રી મોદીની કાર્ય પદ્ધતિ અને રાષ્ટ્રીય ભાવનાથી પ્રેરાઈને જનહિત માટે રાષ્ટ્રહિત માટેની કાર્યો કરવા માટે ભાજપમાં જોડાઈ રહ્યો છું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...