Sunday, March 1, 2026

કોંગ્રેસના સેનાપતિ ભાજપના સિપાહી ! અર્જુન મોઢવાડિયા-અંબરીશ ડેરે કર્યા કેસરિયા

spot_img
Share

ગાંધીનગર : હાલ ગુજરાતની રાજનીતિમાં કોંગ્રેસ માટે આ અત્યાર સુધીનો સૌથી મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. કારણકે, એક સમયે ગુજરાત કોંગ્રેસના કેપ્ટન કે સેનાપતિ રહેલાં, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ રહેલાં અને ભાજપ અને પ્રધાનમંત્રી મોદીનો સૌથી વધુ વિરોધ કરનાર અર્જૂન મોઢવાડિયા આજે ભાજપમાં જોડાઈ ગયા છે. આ સાથે જ અમરેલી જિલ્લાના રાજુલાથી કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા અંબરીષ ડેરે પણ ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. જ્યારે જામનગરથી મૂળૂ કંડોરિયા પણ ભાજપમાં જોડાઈ ગયાં છે.

ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં બંને નેતાઓ ભાજપમાં સામેલ થયા છે. મોઢવાડિયા અને અંબરીશ ડેરને ભાજપમાં જોડ્યા બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સમારંભમાં કાર્યકર્તાઓનું સ્વાગત કરતા જણાવ્યુ કે, ‘લોકોને મદદ કરવાની ભાવના માટેનુ પ્લેટફોર્મ મળે તે માટે તમે પીએમ મોદીની આગેવાનીમાં ભાજપમાં જોડાઇ રહ્યા છે તે બદલ આપનું સ્વાગત છે.’વિકાસના નામે જીતાય નહિ એમ કહેનારા લોકોને પરિણામ સમયે ખ્યાલ આવે છે કે લોકો વિકાસ ઈચ્છે છે. કમલમ પર આજે પાર્ટી જેવો માહોલ છે.

 

ભાજપમાં જોડાતાની સાથે અર્જૂન મોઢવાડિયાએ કહ્યુંકે, હું દાયકાઓ સુધી કોંગ્રેસમાં રહ્યો પણ ત્યાં મને ગુંગળામણ થતી હતી. ત્યાં લોકહિતની કોઈ વાત થતી નથી. મને પ્રધાનમંત્રી મોદીની કાર્યશૈલીમાં શ્રદ્ધા છે. હું કોઈપણ લોભ, લાલચ કે શરત વિના ભાજપમાં એક સામાન્ય કાર્યકર તરીકે જોડાયો છું. હાઈકમાન્ડ મને જે જવાબદારી સોંપશે હું તે નિભાવીશ.

જ્યારે અંબરીષ ડેરે કહ્યુંકે, હું રાજકારણમાં લોકોની ભલાઈ માટે આવ્યો છું. મને લાગે છેકે, ભાજપમાં મને એ કામ કરવાની તક મળશે. હું પ્રધાનમંત્રી મોદીની કાર્ય પદ્ધતિ અને રાષ્ટ્રીય ભાવનાથી પ્રેરાઈને જનહિત માટે રાષ્ટ્રહિત માટેની કાર્યો કરવા માટે ભાજપમાં જોડાઈ રહ્યો છું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...