Sunday, January 25, 2026

કોંગ્રેસના સેનાપતિ ભાજપના સિપાહી ! અર્જુન મોઢવાડિયા-અંબરીશ ડેરે કર્યા કેસરિયા

spot_img
Share

ગાંધીનગર : હાલ ગુજરાતની રાજનીતિમાં કોંગ્રેસ માટે આ અત્યાર સુધીનો સૌથી મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. કારણકે, એક સમયે ગુજરાત કોંગ્રેસના કેપ્ટન કે સેનાપતિ રહેલાં, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ રહેલાં અને ભાજપ અને પ્રધાનમંત્રી મોદીનો સૌથી વધુ વિરોધ કરનાર અર્જૂન મોઢવાડિયા આજે ભાજપમાં જોડાઈ ગયા છે. આ સાથે જ અમરેલી જિલ્લાના રાજુલાથી કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા અંબરીષ ડેરે પણ ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. જ્યારે જામનગરથી મૂળૂ કંડોરિયા પણ ભાજપમાં જોડાઈ ગયાં છે.

ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં બંને નેતાઓ ભાજપમાં સામેલ થયા છે. મોઢવાડિયા અને અંબરીશ ડેરને ભાજપમાં જોડ્યા બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સમારંભમાં કાર્યકર્તાઓનું સ્વાગત કરતા જણાવ્યુ કે, ‘લોકોને મદદ કરવાની ભાવના માટેનુ પ્લેટફોર્મ મળે તે માટે તમે પીએમ મોદીની આગેવાનીમાં ભાજપમાં જોડાઇ રહ્યા છે તે બદલ આપનું સ્વાગત છે.’વિકાસના નામે જીતાય નહિ એમ કહેનારા લોકોને પરિણામ સમયે ખ્યાલ આવે છે કે લોકો વિકાસ ઈચ્છે છે. કમલમ પર આજે પાર્ટી જેવો માહોલ છે.

 

ભાજપમાં જોડાતાની સાથે અર્જૂન મોઢવાડિયાએ કહ્યુંકે, હું દાયકાઓ સુધી કોંગ્રેસમાં રહ્યો પણ ત્યાં મને ગુંગળામણ થતી હતી. ત્યાં લોકહિતની કોઈ વાત થતી નથી. મને પ્રધાનમંત્રી મોદીની કાર્યશૈલીમાં શ્રદ્ધા છે. હું કોઈપણ લોભ, લાલચ કે શરત વિના ભાજપમાં એક સામાન્ય કાર્યકર તરીકે જોડાયો છું. હાઈકમાન્ડ મને જે જવાબદારી સોંપશે હું તે નિભાવીશ.

જ્યારે અંબરીષ ડેરે કહ્યુંકે, હું રાજકારણમાં લોકોની ભલાઈ માટે આવ્યો છું. મને લાગે છેકે, ભાજપમાં મને એ કામ કરવાની તક મળશે. હું પ્રધાનમંત્રી મોદીની કાર્ય પદ્ધતિ અને રાષ્ટ્રીય ભાવનાથી પ્રેરાઈને જનહિત માટે રાષ્ટ્રહિત માટેની કાર્યો કરવા માટે ભાજપમાં જોડાઈ રહ્યો છું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...