Monday, November 10, 2025

ક્ષત્રિયોના કુળદેવીના આશાપુરા માતાજીના દર્શન કરી રૂપાલાએ શરૂ કર્યો ચૂંટણી પ્રચાર

spot_img
Share

રાજકોટ : રાજકોટ બેઠકના ભાજપના ઉમદવાર પરષોત્તમ રુપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલા વિવાદિત નિવેદનને લઈને હાલ સમગ્ર રાજ્યમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. એક તરફ ક્ષત્રિય સમાજ દ્વારા રુપાલાની ટિકિટ રદ થાય તેવી ઉગ્ર માંગ કરવામા આવી રહી છે ત્યારે સતત વિરોધ વચ્ચે ક્ષત્રિયોના કુળદેવીના દર્શન કરી રૂપાલાએ પ્રચારની શરૂઆત કરી છે. રૂપાલાએ નવા જુસ્સા સાથે આજે ચૂંટણીના પ્રચાર શરૂ કર્યાં છે.

પ્રાપ્ત વિગતો મુજબ રુપાલા આજે સવારે ક્ષત્રિય સમાજના કુળદેવી આશાપુરા માતાના દર્શન કરવા પહોંચ્યા હતા. રુપાલાએ આશાપુરા માતાના દર્શન કરીને ચુંદડી ચઢાવીને પ્રસાદ ધર્યો હતો. જે બાદ મહિલા સંમેલન યોજી ફરી પ્રચાર શરૂ કરી દીધો છે. અમીન માર્ગ પર પરશોત્તમ રૂપાલાએ ડોર ટૂ ડોર પ્રચાર કર્યો. રૂપાલા સાથે સાંસદ રામ મોકરિયા, ધારાસભ્ય દર્શિતા શાહ, રમેશ ટીલાળા અને ઉપાધ્યક્ષ ભરત બોઘરા ઉપસ્થિત રહ્યા હતી.

રાજકોટ બેઠકના ભાજપના ઉમદવાર પરષોત્તમ રુપાલા આપેલા વિવાદિત નિવેદનને કારણે ક્ષત્રિય સમાજમાં રોષ શાંત થવાનું ના નથી લઈ રહ્યો. ઠેર ઠેર રુપાલનો વિરોધ કરવામા આવી રહ્યો છે. આ સાથે રાજકોટમાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા રુપાલાનો વિરોદ કરવામા આવી રહ્યો છે. ક્ષત્રિય સમાજ રુપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર અડગ છે ત્યારે દિલ્હીથી પરત ફર્યા બાદ આજે તેમને ચૂંટણી પ્રચાર શરુ કરી દીધો છે.

મહત્વનું છે કે, બે દિવસ પહેલા કરણી સેનાના મહિલા પ્રદેશ અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ આશાપુરા મંદિરે માતાજીના દર્શન કરી રૂપાલાને હરાવવા માટે શપથ લીધા હતા તેમજ કરણી સેનાના વડીલો અને યુવાનોએ રૂપાલા વિરૂદ્ધ મતદાન કરવાં શપથ લીધા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...