Tuesday, July 28, 2026

ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે પરંપરાગત ભવ્ય શોભાયાત્રા અને લોકડાયરાનું આયોજન

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ અમદાવાદ (વિભાગ-4) દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી પરશુરામ જન્મોત્સવના દિવસે ભવ્ય શોભાયાત્રાનુ આયોજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી તારીખ 10 મે 2024 શુક્રવાર રોજ અખાત્રીજના શુભ દિને પરશુરામ જન્મોત્સવના દિવસે પરંપરાગત ભવ્ય શોભા યાત્રા નીકળશે.

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ અમદાવાદ (વિભાગ-4) અને સહયોગી સંસ્થા શ્રી સમસ્ત બ્રહ્મસમાજ અમદાવાદ શહેર પશ્ચિમ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી તારીખ 10 મે 2024 શુક્રવાર રોજ અખાત્રીજના શુભ દિને પરશુરામ જન્મોત્સવના દિવસે પરંપરાગત ભવ્ય શોભા યાત્રા અને ભવ્ય લોકડાયરાનું આયોજન કરાયું છે.

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ અમદાવાદ (વિભાગ-4)ના યુવા પ્રમુખ રાજેશ દવેના જણાવ્યા મુજબ અખાત્રીજના શુભ દિને સવારે પરશુરામ જન્મોત્સવ નિમિત્તે પરંપરાગત ભવ્ય શોભાયાત્રા ઇસ્કોન મંદિર સેટેલાઇટથી નીકળશે.આ શોભાયાત્રાનું જાણીતા સંતો-મહંતો દ્વારા પ્રસ્થાન કરાશે. જે જોધપુર ચાર રસ્તા, માનસી સર્કલ, ગુરુકુળ રોડથી પશ્ચિમના અનેક વિસ્તારોમાં થઇ વ્યાસવાડી સર્કલ નવા વાડજ ખાતે આવેલ ભગવાન પરશુરામ ચોક ખાતે શોભાયાત્રાનું સમાપન થશે.

સનાતન ધર્મના દેવી-દેવતા જેવા કે ગણેશજી, બ્રહ્માજી, વિષ્ણુ ભગવાનના વિવિધ સ્વરૂપના 10 રથ, માતાજીનો રથ, ચાર વેદ, અઢાર પુરાણ, 12 જયોતિર્લિંગ, સપ્તઋષિગણ વગેરે થઈને કુલ 61 રથોની ભવ્ય શોભાયાત્રા નીકળશે..આ ઉપરાંત તારીખ 10 મે 2024 શુક્રવાર રોજ પરશુરામ ચોક ખાતે સવારે યજ્ઞ અને રાત્રે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ છે, જેનો દરેક ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.

જેમાં બ્રહ્મસમાજના વિવિધ ક્ષેત્રેના અગ્રણીઓ અને આગેવાન મોટી સંખ્યામાં હાજર રહેશે. સાથે શહેરના આગેવાનો, શાસકો લોક-પ્રતિનિધીઓ હાજરી આપશે. બ્રહ્મસમાજના યુવા કોર્પોરેટ અને સક્રિય મહિલા કોર્પોટરો સ્વયંસેવક બનીને સાથે જોડાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...