Wednesday, March 18, 2026

ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે પરંપરાગત ભવ્ય શોભાયાત્રા અને લોકડાયરાનું આયોજન

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ અમદાવાદ (વિભાગ-4) દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી પરશુરામ જન્મોત્સવના દિવસે ભવ્ય શોભાયાત્રાનુ આયોજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી તારીખ 10 મે 2024 શુક્રવાર રોજ અખાત્રીજના શુભ દિને પરશુરામ જન્મોત્સવના દિવસે પરંપરાગત ભવ્ય શોભા યાત્રા નીકળશે.

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ અમદાવાદ (વિભાગ-4) અને સહયોગી સંસ્થા શ્રી સમસ્ત બ્રહ્મસમાજ અમદાવાદ શહેર પશ્ચિમ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી તારીખ 10 મે 2024 શુક્રવાર રોજ અખાત્રીજના શુભ દિને પરશુરામ જન્મોત્સવના દિવસે પરંપરાગત ભવ્ય શોભા યાત્રા અને ભવ્ય લોકડાયરાનું આયોજન કરાયું છે.

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ અમદાવાદ (વિભાગ-4)ના યુવા પ્રમુખ રાજેશ દવેના જણાવ્યા મુજબ અખાત્રીજના શુભ દિને સવારે પરશુરામ જન્મોત્સવ નિમિત્તે પરંપરાગત ભવ્ય શોભાયાત્રા ઇસ્કોન મંદિર સેટેલાઇટથી નીકળશે.આ શોભાયાત્રાનું જાણીતા સંતો-મહંતો દ્વારા પ્રસ્થાન કરાશે. જે જોધપુર ચાર રસ્તા, માનસી સર્કલ, ગુરુકુળ રોડથી પશ્ચિમના અનેક વિસ્તારોમાં થઇ વ્યાસવાડી સર્કલ નવા વાડજ ખાતે આવેલ ભગવાન પરશુરામ ચોક ખાતે શોભાયાત્રાનું સમાપન થશે.

સનાતન ધર્મના દેવી-દેવતા જેવા કે ગણેશજી, બ્રહ્માજી, વિષ્ણુ ભગવાનના વિવિધ સ્વરૂપના 10 રથ, માતાજીનો રથ, ચાર વેદ, અઢાર પુરાણ, 12 જયોતિર્લિંગ, સપ્તઋષિગણ વગેરે થઈને કુલ 61 રથોની ભવ્ય શોભાયાત્રા નીકળશે..આ ઉપરાંત તારીખ 10 મે 2024 શુક્રવાર રોજ પરશુરામ ચોક ખાતે સવારે યજ્ઞ અને રાત્રે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ છે, જેનો દરેક ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.

જેમાં બ્રહ્મસમાજના વિવિધ ક્ષેત્રેના અગ્રણીઓ અને આગેવાન મોટી સંખ્યામાં હાજર રહેશે. સાથે શહેરના આગેવાનો, શાસકો લોક-પ્રતિનિધીઓ હાજરી આપશે. બ્રહ્મસમાજના યુવા કોર્પોરેટ અને સક્રિય મહિલા કોર્પોટરો સ્વયંસેવક બનીને સાથે જોડાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...