Sunday, January 18, 2026

ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે પરંપરાગત ભવ્ય શોભાયાત્રા અને લોકડાયરાનું આયોજન

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ અમદાવાદ (વિભાગ-4) દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી પરશુરામ જન્મોત્સવના દિવસે ભવ્ય શોભાયાત્રાનુ આયોજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી તારીખ 10 મે 2024 શુક્રવાર રોજ અખાત્રીજના શુભ દિને પરશુરામ જન્મોત્સવના દિવસે પરંપરાગત ભવ્ય શોભા યાત્રા નીકળશે.

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ અમદાવાદ (વિભાગ-4) અને સહયોગી સંસ્થા શ્રી સમસ્ત બ્રહ્મસમાજ અમદાવાદ શહેર પશ્ચિમ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી તારીખ 10 મે 2024 શુક્રવાર રોજ અખાત્રીજના શુભ દિને પરશુરામ જન્મોત્સવના દિવસે પરંપરાગત ભવ્ય શોભા યાત્રા અને ભવ્ય લોકડાયરાનું આયોજન કરાયું છે.

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ અમદાવાદ (વિભાગ-4)ના યુવા પ્રમુખ રાજેશ દવેના જણાવ્યા મુજબ અખાત્રીજના શુભ દિને સવારે પરશુરામ જન્મોત્સવ નિમિત્તે પરંપરાગત ભવ્ય શોભાયાત્રા ઇસ્કોન મંદિર સેટેલાઇટથી નીકળશે.આ શોભાયાત્રાનું જાણીતા સંતો-મહંતો દ્વારા પ્રસ્થાન કરાશે. જે જોધપુર ચાર રસ્તા, માનસી સર્કલ, ગુરુકુળ રોડથી પશ્ચિમના અનેક વિસ્તારોમાં થઇ વ્યાસવાડી સર્કલ નવા વાડજ ખાતે આવેલ ભગવાન પરશુરામ ચોક ખાતે શોભાયાત્રાનું સમાપન થશે.

સનાતન ધર્મના દેવી-દેવતા જેવા કે ગણેશજી, બ્રહ્માજી, વિષ્ણુ ભગવાનના વિવિધ સ્વરૂપના 10 રથ, માતાજીનો રથ, ચાર વેદ, અઢાર પુરાણ, 12 જયોતિર્લિંગ, સપ્તઋષિગણ વગેરે થઈને કુલ 61 રથોની ભવ્ય શોભાયાત્રા નીકળશે..આ ઉપરાંત તારીખ 10 મે 2024 શુક્રવાર રોજ પરશુરામ ચોક ખાતે સવારે યજ્ઞ અને રાત્રે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ છે, જેનો દરેક ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.

જેમાં બ્રહ્મસમાજના વિવિધ ક્ષેત્રેના અગ્રણીઓ અને આગેવાન મોટી સંખ્યામાં હાજર રહેશે. સાથે શહેરના આગેવાનો, શાસકો લોક-પ્રતિનિધીઓ હાજરી આપશે. બ્રહ્મસમાજના યુવા કોર્પોરેટ અને સક્રિય મહિલા કોર્પોટરો સ્વયંસેવક બનીને સાથે જોડાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...