Wednesday, September 17, 2025

ગુજરાત યુનિવર્સિટી દ્વારા નવતર પ્રયોગ, આગામી શૈક્ષણિક સત્રથી શરૂ કરશે આ નવા 43 કોર્સ, ભણ્યા બાદ નોકરી પાકી

Share

Share

અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગ્રાન્ટેડ કોલેજને બચાવવા માટે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. યુનિવર્સિટી સંલગ્ન ગ્રાન્ટેડ કોલેજમાં હવે સ્કીલ બેઝ કોર્સ આગામી સત્રથી શરૂ થશે. આગામી નવા શૈક્ષણિક સત્રથી ગુજરાત યુનિવર્સિટી સ્કિલ બેઝ કોર્સ શરૂ કરવા જઈ રહી છે. જેમાં વિદ્યાર્થીઓને 40 થી લઈને 120 સુધીના ક્રેડિટ પોઈન્ટ મળશે. ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન તમામ ગ્રાન્ટેડ કોલેજોમાં 43 નવા કોર્સ શરૂ કાવ્ય જઈ રહી છે, આથી ગ્રાન્ટેડ કોલેજોની પણ સ્થતિ સુધરશે.

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ઇન્ડસ્ટ્રીમાં રહેલી તકોના આધારે 43 જેટલા કોર્સની યાદી બનાવવામાં આવી છે. જેમાં સાયન્સ, કોમર્સથી લઈને સંચાર સુધીના તમામ ફિલ્ડને લગતા કોર્સ બનાવવામાં આવ્યા છે. જેમાં વિદ્યાર્થીઓ ઇન્ટર્નશીપ પણ કરી શકશે. આ કોર્સ ક્રેડિટ બેઝ કોર્સ છે, જેમાં સર્ટિફિકેટ કોર્સ અને ડિપ્લોમા કોર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઇન્ડસ્ટ્રીની ડિમાન્ડને ધ્યાનમાં રાખતા ગુજરાત યુનિવર્સિટી ચેમ્બર ઓફ કોમર્સ અને અન્ય ઘટકો સાથે મળીને કોમ્પ્યુટર, આઇટી, મેન્ટલ હેલ્થ, ક્રિએટિવ, મેનેજમેન્ટ, ફોરેન લેન્ગવેજ, એચઆર, મીડિયા, ટેક્સેશન સહિતના 43 કોર્સ શરૂ કરવા જઇ રહી છે.જેમાં વિદ્યાર્થીઓ એક થી ચાર સેમેસ્ટરમાં આ પ્રકારના કોર્ષ કરી શકશે.વિદ્યાર્થીઓ સર્ટીફિકેટ કોર્સ અથવા તો 9 મહિનાના ડિપ્લોમા કોર્સ કરી શકશે જેમાં સર્ટીફિકેટ કોર્સ માટે વિદ્યાર્થીઓને 40 જ્યારે ડિપ્લોમાં કોર્સ માટે 90થી 120 ક્રેડીટ મળશે.

રોજગારી માટે ઈન્ડસ્ટ્રીમાં રહેલી માંગના આધારે ગુજરાત યુનિવર્સિટી અને ચેમ્બર ઓફ કોમર્સ સાથે MoU કરવામાં આવ્યા છે. કોમ્પ્યુટર, આઇટી, મેન્ટલ હેલ્થ, ક્રિએટિવ, મેનેજમેન્ટ, ફોરેન લેન્ગવેજ, એચઆર, મીડિયા, ટેક્સેશન સહિતના કોર્સ તૈયાર કરવામાં આવ્યા છે. ગુજરાત યુનિવર્સિટી આગામી શૈક્ષણિક સત્રથી રેગ્યુલર કોર્સની સાથે આ સર્ટિફિકેટ કોર્સ પણ શરૂ કરશે. જેમાં વિદ્યાર્થીઓ સર્ટિફિકેટ અને ડિપ્લોમા કોર્સ કરી શકશે. આથી બંધ થવાના આરે ઉભી ગ્રાન્ટેડ કોલેજોને ફી મળવાથી નવજીવન મળશે.

કુલપતિ નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, રેગ્યુલર કોર્ષની સાથે આ કોર્ષ નહીં ચલાવાય. ઇન્ડસ્ટ્રી જ કોર્ષ ચલાવાવની હોવાને કારણે કોલેજ સમય ઉપરાંત અથવા તો શનિવાર અને રવિવારના રોજ આ કોર્સ ચાલશે. NEP મુજબ વિદ્યાર્થીઓ 4થી 5 સેમેસ્ટર વચ્ચે ઇન્ટર્નશીપ પણ કરવાની હોય છે. વિદ્યાર્થીઓ આ કોર્ષ કરશે તો તેઓ ઇન્ટર્નશિપ પણ કરશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...