Wednesday, January 21, 2026

ગુજરાત યુનિવર્સિટી દ્વારા નવતર પ્રયોગ, આગામી શૈક્ષણિક સત્રથી શરૂ કરશે આ નવા 43 કોર્સ, ભણ્યા બાદ નોકરી પાકી

spot_img
Share

અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગ્રાન્ટેડ કોલેજને બચાવવા માટે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. યુનિવર્સિટી સંલગ્ન ગ્રાન્ટેડ કોલેજમાં હવે સ્કીલ બેઝ કોર્સ આગામી સત્રથી શરૂ થશે. આગામી નવા શૈક્ષણિક સત્રથી ગુજરાત યુનિવર્સિટી સ્કિલ બેઝ કોર્સ શરૂ કરવા જઈ રહી છે. જેમાં વિદ્યાર્થીઓને 40 થી લઈને 120 સુધીના ક્રેડિટ પોઈન્ટ મળશે. ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન તમામ ગ્રાન્ટેડ કોલેજોમાં 43 નવા કોર્સ શરૂ કાવ્ય જઈ રહી છે, આથી ગ્રાન્ટેડ કોલેજોની પણ સ્થતિ સુધરશે.

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ઇન્ડસ્ટ્રીમાં રહેલી તકોના આધારે 43 જેટલા કોર્સની યાદી બનાવવામાં આવી છે. જેમાં સાયન્સ, કોમર્સથી લઈને સંચાર સુધીના તમામ ફિલ્ડને લગતા કોર્સ બનાવવામાં આવ્યા છે. જેમાં વિદ્યાર્થીઓ ઇન્ટર્નશીપ પણ કરી શકશે. આ કોર્સ ક્રેડિટ બેઝ કોર્સ છે, જેમાં સર્ટિફિકેટ કોર્સ અને ડિપ્લોમા કોર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઇન્ડસ્ટ્રીની ડિમાન્ડને ધ્યાનમાં રાખતા ગુજરાત યુનિવર્સિટી ચેમ્બર ઓફ કોમર્સ અને અન્ય ઘટકો સાથે મળીને કોમ્પ્યુટર, આઇટી, મેન્ટલ હેલ્થ, ક્રિએટિવ, મેનેજમેન્ટ, ફોરેન લેન્ગવેજ, એચઆર, મીડિયા, ટેક્સેશન સહિતના 43 કોર્સ શરૂ કરવા જઇ રહી છે.જેમાં વિદ્યાર્થીઓ એક થી ચાર સેમેસ્ટરમાં આ પ્રકારના કોર્ષ કરી શકશે.વિદ્યાર્થીઓ સર્ટીફિકેટ કોર્સ અથવા તો 9 મહિનાના ડિપ્લોમા કોર્સ કરી શકશે જેમાં સર્ટીફિકેટ કોર્સ માટે વિદ્યાર્થીઓને 40 જ્યારે ડિપ્લોમાં કોર્સ માટે 90થી 120 ક્રેડીટ મળશે.

રોજગારી માટે ઈન્ડસ્ટ્રીમાં રહેલી માંગના આધારે ગુજરાત યુનિવર્સિટી અને ચેમ્બર ઓફ કોમર્સ સાથે MoU કરવામાં આવ્યા છે. કોમ્પ્યુટર, આઇટી, મેન્ટલ હેલ્થ, ક્રિએટિવ, મેનેજમેન્ટ, ફોરેન લેન્ગવેજ, એચઆર, મીડિયા, ટેક્સેશન સહિતના કોર્સ તૈયાર કરવામાં આવ્યા છે. ગુજરાત યુનિવર્સિટી આગામી શૈક્ષણિક સત્રથી રેગ્યુલર કોર્સની સાથે આ સર્ટિફિકેટ કોર્સ પણ શરૂ કરશે. જેમાં વિદ્યાર્થીઓ સર્ટિફિકેટ અને ડિપ્લોમા કોર્સ કરી શકશે. આથી બંધ થવાના આરે ઉભી ગ્રાન્ટેડ કોલેજોને ફી મળવાથી નવજીવન મળશે.

કુલપતિ નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, રેગ્યુલર કોર્ષની સાથે આ કોર્ષ નહીં ચલાવાય. ઇન્ડસ્ટ્રી જ કોર્ષ ચલાવાવની હોવાને કારણે કોલેજ સમય ઉપરાંત અથવા તો શનિવાર અને રવિવારના રોજ આ કોર્સ ચાલશે. NEP મુજબ વિદ્યાર્થીઓ 4થી 5 સેમેસ્ટર વચ્ચે ઇન્ટર્નશીપ પણ કરવાની હોય છે. વિદ્યાર્થીઓ આ કોર્ષ કરશે તો તેઓ ઇન્ટર્નશિપ પણ કરશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...