Friday, February 20, 2026

નવા વાડજમાં બે કાર વચ્ચે અકસ્માતમાં એક પલટી,ખોડિયાર નગરમાં સ્કૂલ વાને સર્જ્યો અકસ્માત, BRTS રેલિંગ સાથે અથડાઈ

spot_img
Share

અમદાવાદ : શહેરના નવા વાડજ નેશનલ હેન્ડલૂમ પાસે મોડી રાત્રે 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક કાર પલટી જતા કારચાલક ઇજાગ્રસ્ત થયો હતો. જોકે આ ઘટનામાં વધુ કોઈ જાનહાનિ થઈ નથી. જયારે બીજી ઘટનામાં ખોડિયાર નગર વિસ્તારમાં આજે સવારે એક મોટી દુર્ઘટના ટળી હતી, જેમાં સ્કૂલના બાળકો ભરેલી એક વાન અકસ્માતનો ભોગ બની હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ મામલે હાલ ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા નવા વાડજમાં મોડી રાત્રે નેશનલ હેન્ડલૂમ પાસેના રોડ પર પૂરઝડપે આવી રહેલી બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે અથડામણ બાદ એક કાર રસ્તા પર પલટી મારી ગઈ હતી. રાત્રિના સમયે અચાનક થયેલા ધડાકાને પગલે આસપાસના લોકો અને માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.

આ અકસ્માતમાં કાર પલટી ખાઈ જવાને કારણે કારચાલકને શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક કારમાં ફસાયેલા ચાલકને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. રાહતની વાત એ છે કે આટલા ભયાનક અકસ્માત છતાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું નથી અને મોટી જાનહાનિ ટળી છે.

જયારે બીજી ઘટનામાં શહેરના ખોડિયાર નગર બ્રિજ પાસે સવારના સમયે દિવાન બલ્લુભાઈ સ્કૂલના વિદ્યાર્થીઓને લઈને જઈ રહેલી એક સ્કૂલ વાન અચાનક બેકાબૂ બની હતી. વાન ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા વાન સીધી BRTS કોરિડોરની લોખંડની રેલિંગ સાથે જોરદાર રીતે અથડાઈ હતી.અકસ્માત સમયે વાનમાં કુલ 10 વિદ્યાર્થીઓ સવાર હતા.

અકસ્માત થતા જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને વાનમાંથી બાળકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.રાહતની વાત એ છે કે આ ગંભીર અકસ્માતમાં કોઈ પણ વિદ્યાર્થીને નાની-મોટી ઈજા પહોંચી નથી. તમામ બાળકો સુરક્ષિત હોવાથી વાલીઓ અને શાળા પ્રશાસને હાશકારો અનુભવ્યો છે.

જોકે નવા વાડજ અને ખોડિયાર નગર વિસ્તારમાં અકસ્માતની બંને ઘટનામાં વધુ કોઈ જાનહાનિ થઈ નથી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કે આ અકસ્માત સ્પીડને કારણે થયો હતો કે કેમ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...