Saturday, February 21, 2026

જાહેરમાર્ગોને નુકસાન ન થાય તે રીતે હોળી પ્રગટાવવા AMCની જાહેર જનતાને અપીલ

spot_img
Share

અમદાવાદ : હોળીના પવિત્ર તહેવારને લઈને શહેરમાં ઉત્સાહનો માહોલ છે, પરંતુ હોળી પ્રગટાવવાની પરંપરામાં થતી કેટલીક અયોગ્ય પ્રવૃત્તિઓ શહેરના રસ્તાઓને ભારે નુકસાન પહોંચાડી રહી છે. સામાન્ય રીતે નાગરિકો રસ્તા વચ્ચે ખાડા ખોદીને અથવા સીધા ડામરના રસ્તા પર હોળી પ્રગટાવે છે, જેના કારણે રસ્તાની સપાટીને મોટું નુકસાન થાય છે. ખાડા પાડવાથી ડામરના ભાગમાં પોલાણ સર્જાય છે અને ચોમાસાની ઋતુ દરમિયાન તેમાં વરસાદનું પાણી ઉતરવાની શક્યતા વધી જાય છે. પરિણામે રસ્તાની નીચેની સરફેસ નબળી પડે છે અને અનેક સ્થળોએ રસ્તા બેસી જવા અથવા તૂટવાની સમસ્યા ઉભી થાય છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આ મુદ્દે નાગરિકોને મહત્વપૂર્ણ અનુરોધ કરવામાં આવ્યો છે. કોર્પોરેશનના જણાવ્યા મુજબ, હોળી રસ્તાની વચ્ચે પ્રગટાવવાને બદલે રસ્તાની એક બાજુ ઇંટો અથવા પેવર બ્લોક ગોઠવી તેના ઉપર રેતી પાથરીને હોળી પ્રગટાવવી જોઈએ. આ રીતે રસ્તાને થતું નુકસાન અટકાવી શકાય અને શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકાય.

સામાન્ય રીતે લોકો જાહેર રસ્તાઓના જંકશન પર, સોસાયટીઓના આંતરિક રોડ અને માર્ગો પર સીધા ડામર રોડ પર લાકડાં છાણા વગેરે એકઠા કરીને હોળી પ્રગટાવે છે. આમ કરવાથી હોળીની જ્વાળાઓની પ્રખર ગરમીથી રોડનો ડામર પીગળી જાય છે, અને રોગ ને નુકસાન થાય છે, તૂટી જાય છે .જેથી ફરી રિપેર કરવા ખર્ચ કરવો પડે છે, અને રોડ તૂટી જવાથી લોકોને પણ તકલીફ પડે છે.

આ ઉપરાંત, AMCએ નાગરિકોને ઝાડની નીચે તેમજ ઇલેક્ટ્રિક અને અન્ય કેબલની ઓવરહેડ લાઈનોની નીચે હોળી ન પ્રગટાવવાની સૂચના આપી છે. ઝાડની નીચે હોળી પ્રગટાવવાથી વૃક્ષો અને તેમાં વસતા પક્ષીઓને નુકસાન થવાની શક્યતા રહે છે, જ્યારે ઓવરહેડ લાઈનની નજીક આગ લગાવવાથી વીજળી સંબંધિત અકસ્માતો અને ગંભીર નુકસાન થવાનો ખતરો રહે છે.

કોર્પોરેશને નાગરિકોને તેમના વિસ્તારની વોર્ડ ઓફિસનો સંપર્ક કરીને યોગ્ય સ્થળ અને વ્યવસ્થા અંગે માર્ગદર્શન લેવા પણ અપીલ કરી છે. હોળીનો તહેવાર આનંદ અને ભાઈચારોનું પ્રતિક છે, પરંતુ સાથે સાથે જાહેર સંપત્તિ અને પર્યાવરણનું રક્ષણ કરવું પણ દરેક નાગરિકની જવાબદારી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...