Sunday, November 2, 2025

અમદાવાદમાં શાકાહારી વિસ્તારોમાંથી નોનવેજની ગેરકાયદે લારીઓ અને દુકાનોને દૂર કરવા રજૂઆત

Share

અમદાવાદ : લોકસભા ચૂંટણી બાદ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક મળી હતી. જેમાં ભાજપના સાંસદ સભ્યો, ધારાસભ્યો અને કલેક્ટર હાજર રહ્યા હતા. જેમાં ભાજપના જ બે ધારાસભ્ય અમિત શાહ અને કૌશિક જૈન દ્વારા શહેરમાં શાકાહારી વિસ્તારોમાં ગેરકાયદે રીતે ઊભી થયેલી નોનવેજ અને ઈંડાની લારીઓને સામે રજૂઆત કરવામાં આવી હતી.

આ સંકલન સમિતિની બેઠકમાં ભાજપના ધારાસભ્યોએ શહેરમાં વિવિધ વિસ્તારોમાં નોનવેજની લારીઓ અને દુકાનોને લઈ સવાલો ઊભા કર્યા હતા. જે વિસ્તારમાં શાકાહારી લોકો રહે છે ત્યાં નોનવેજ- ઈંડાની લારીઓ અને દુકાનો ખુલી ગઈ છે. જેને બંધ કરાવવાની રજૂઆત ભાજપના એલિસબ્રિજના ધારાસભ્યને શહેર પ્રમુખ અમિત શાહ તેમજ દરીયાપુરના ધારાસભ્ય કૌશિક જૈને કરી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગ દ્વારા જ્યારે આવી દુકાનો લારીઓને લાયસન્સ આપવામાં આવે છે, તેની ઓનલાઈન પ્રક્રિયા હોય છે જેમાં કોઈ સ્થળ તપાસ કરવામાં આવતી નથી. જે વિસ્તારમાં નોનવેજ ખાતા લોકો રહેતા હોય ત્યાં કોઈ વાંધો નથી પરંતુ, શાકાહારી લોકો જ્યાં રહેતા હોય ત્યાં આવી લારીઓ અને દુકાનોને પરમિશન આપવી જોઈએ નહીં.

આ સાથે સાથે અમિત શાહે રજૂઆત કરી કે આંબાવાડી તેમજ પાલડી જેવા જૈન વિસ્તારોમાં પણ આ પ્રકારે લારીઓ જોવા મળી રહી છે. તો કૌશિક જૈને રજૂઆત કરી કે જે જગ્યાઓ ઉપર મંદિરો આવેલા છે તેની જ આસપાસમાં આ પ્રકારે લારીઓ અને દુકાનો શરૂ થઈ ચૂકી છે. જે શરૂ ન થાય તેનું પણ ધ્યાન રાખવા તેમના દ્વારા સૂચન કરવાનું કહેવામાં આવ્યું છે. જો ત્રણ કે તેથી વધુ વખત આ પ્રકારેની લારીઓ જોવા મળે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની રજૂઆત પણ ધારાસભ્ય કૌશિક જૈન દ્વારા કરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...

ગુજરાતના નવા મંત્રીઓની યાદી આવી સામે, 26 ધારાસભ્યોને મળ્યું મંત્રીમંડળમાં સ્થાન, જુઓ આ રહી યાદી ?

ગાંધીનગર : આજે ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ સરકારની નવી કેબિનેટનું ગઠન થઇ ગયું છે. જુના મંત્રીઓમાંથી મોટા ભાગના લોકોને પડતા મૂકી અને હવે નવા ચહેરાઓને...

ગિરનારની લીલી પરિક્રમાની તૈયારી પૂરજોશમાં, પદયાત્રીઓને અપાઈ મહત્વની સૂચના, આવું ન કરતા !

જુનાગઢ : જૂનાગઢના ગિરનારની લીલી પરિક્રમાની તૈયારીઓની વ્યવસ્થાને ધ્યાન રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાધુ-સંતો ઉતારા મંડળ અને...

દિવાળીના તહેવારોમાં એસ.ટી.ના મુસાફરોને રાહત, CM એ નવી 201 બસોને બતાવી લીલી ઝંડી

ગાંધીનગર : ગુજરાતમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એસ.ટી.બસનો ઉપયોગ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...