Tuesday, September 16, 2025

અમદાવાદ બન્યું ‘સ્વિમિંગપૂલ’, સન્ડે બન્યો રેઇન ડે, ગોતા-સાયન્સ સિટીમાં 3 કલાકમાં 6 ઇંચ વરસાદ

Share

Share

અમદાવાદ : અમદાવાદને રવિવારે મેઘરાજાએ પાંચ-પાંચ ઇંચ વરસાદ સાથે તરબોળ કરી દેતા અમદાવાદ જાણે સ્વિમિંગ પૂલ બન્યું હતું. તેની સાથે મેઘરાજાએ પ્રી-મોનસૂન પ્લાનને જાણે કહી દીધુ હતુ ‘બાય’. અમદાવાદમાં સીઝન જામવાની સાથે તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ હતી. શહેરમાં પડેલા પાંચ ઇંચ વરસાદે પ્રી-મોનસૂન પ્લાન કોહલીની જેમ ધોઈ નાખ્યો હતો.

અમદાવાદ RTO ને જોડતા 132 ફૂટ રોડ જળ બંબાકાર સ્થિતિમાં આવી ગયો છે. શહેરમાં અનેક લોકોના વાહનો ખોટવાયા છે. વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદી પાણી ભરાતા લોકોના કામ અટક્યા હતા. તો ભારે ટ્રાફિક જામનો પણ સામનો કરવો પડ્યો. ઠેર-ઠેર પાણી ભરાતા લોકો તેને જોવા નીકળ્યા હતા. રસ્તા પર લોકોના આવવા-જવા કરતાં લોકોના ભરાયેલા પાણી જોવા માટેની ભીડ વધારે હતી. લોકો રીતસરના પાણીમાં છબછબીયા કરતાં જોવા મળ્યા હતા.

અમદાવાદના નીચાણવાળા વિસ્તારમાં લોકોને પાણી ભરાવાના કારણે હાલાકી પડી રહી છે. ગોતા અને સાયન્સ સિટીમાં 3 કલાકમાં 6 ઇંચ, બોપલમાં 4 ઇંચ, નરોડામાં 4 ઇંચ, ચાંદખેડા, સરખેજ, ચાંદલોડિયામાં 3 ઇંચ, ઉસ્માનપુરા બે ઇંચ વરસાદ નોંધાયો છે. બપોર બાદ મેઘરાજાએ બઘડાટી બોલાવી હતી. જેને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને તાપમાનનો પારો ચાર ડિગ્રી સેલ્સિયસ ઘટી ઘટ્યો છે.

અમદાવાદમાં માત્ર 2 ઈંચ વરસાદમાં જ રસ્તાઓ બેટમાં ફેરવાતા પ્રિમોન્સૂન કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે. ગોતા, એસજી હાઇવે, ન્યુ રાણીપ, જગતપુર, રાણીપ, ચાંદખેડા સહિતના વિસ્તારોમાં બે કલાકમાં ધોધમાર વરસાદના પગલે પાણી ભરાઈ ગયા છે. જેના પગલે વાહનચાલકોને અને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

ગોતા અને સાયન્સ સિટીમાં ત્રણ જ કલાકમાં છ ઇંચ વરસાદ ખાબકતા પ્રીમોનસૂન પ્લાન ધોવાઈ ગયો હતો. બધી જ જગ્યાએ ફક્ત પાણી જ પાણી હતુ, રસ્તાઓ શોધવા જવા પડે તેવી સ્થિતિ હતી. ગોતા અને સાયન્સ સિટીના વિસ્તારના લોકો પણ અસમંજસમાં પડી ગયા હતા. આને મેઘમહેર કેવી કે મેઘકહેર તેના વિચારમાં પડી ગયા હતા.

રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી છે. હવામાન વિભાગે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ વરસશે. આજે ભરૂચ, સુરત, નવસારીમાં ભારે વરસાદની આગાહી છે. તો વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ થઈ શકે છે. પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે. ભાવનગર, ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ આવી શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...