Wednesday, March 4, 2026

અમદાવાદ પોલીસ કમિશ્નરે એકસાથે 1740 પોલીસ કર્મીઓની કરી બદલી

spot_img
Share

અમદાવાદ : શહેરમાં એકજ જગ્યા એ સાડા પાંચ વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવતા વર્ગ-3ના 1740 પોલીસ કર્મીઓની બદલીનું લિસ્ટ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિકે જારી કરતા અમદાવાદ પોલીસ બેડામાં ભૂકંપ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને ASI કક્ષાના આ 1740 પોલીસ કર્મીઓ ને વર્તમાન જગ્યા પરથી તાત્કાલિક છુટા થઈ 7 દિવસની અંદર નવી જગ્યાએ હાજર થવા પણ આદેશ કર્યો છે.

1746 Badli Order ahmedabad

પ્રાપ્ત રિપોર્ટ મુજબ પોલીસ કમિશનર અમદાવાદ શહેર દ્વારા અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન તેમજ શાખા બ્રાન્ચ કચેરીઓ ખાતે છેલ્લા સાડા પાંચ વર્ષ જેટલા સમયથી ફરજ બજાવતા હોય એવા કુલ 1740 ASI, HC, PC ની બદલી કરવામાં આવી છે.જ્ઞાનેન્દ્ર સિંહ મલિકે અમદાવાદ પોલીસ કમિશનર તરીકે નો હવાલો સંભાળ્યો ત્યારે તેઓએ પોલીસ કર્મચારીઓની ફરજનો કાર્યકાળ તપાસ્યો હતો,જેમાં એકજ જગ્યા પર કેટલાક પોલીસ કર્મીઓ લાંબા સમયથી ફરજ બજાવતા હતા.

અમદાવાદ શહેર પોલીસમાં લાંબા સમયથી કેમ બદલીઓ થઈ નથી અને એકજ જગ્યા પર કેમ વર્ગ -3 પોલીસ કર્મીઓ ફરજ બજાવી રહ્યા છે તે અંગે પોલીસ કમિશ્નર જી એસ મલિકે જાતે કારણો તપસ્યા હતા અને ત્યાર બાદ તમામ પોલીસ કર્મીઓની ફાઈલો જોયા બાદ ગુજરાત પોલીસ મેન્યુઅલ વોલ્યુમ-1ના નિયમ 154 (2) મુજબ અમદાવાદ શહેર પોલીસની એક ચોક્કસ ટ્રાન્સફર પોલિસી ઘડી કાઢી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...