Wednesday, September 17, 2025

ગાંધીનગર હાઈવે પર આ સર્કલ પર બ્રિજ નિર્માણને લીધે ડાયવર્ઝન તૈયાર કરાયું

Share

Share

ગાંધીનગરઃ અમદાવાદના એરપોર્ટથી ગાંધીનગર જતા હાઈવે પર એપોલો સર્કલ પાસે ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવારૂપ બની છે. એપોલો સર્કલ પાસે એસપી રિંગ રોડ જંકશનને કારણે અવાર-નવાર ટ્રાફિક જામ સર્જાતો હોય છે. આથી એપોલો સર્કલ પર કેબલ સ્ટેન્ડ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. બ્રિજનું કામ શરૂ થતાં જ હવે એપોલો સર્કલ પર ડાયવર્ઝન આપવા વૈકલ્પિક માર્ગ તૈયાર કરી દેવાયો છે, સર્કલના ચારેય રસ્તાઓ પર સર્વિસ રોડ પણ બનાવી દેવાયા છે. કેબલ સ્ટેન્ડ બ્રિજનું કામ બે વર્ષ ચાલશે, એટલે બે વર્ષ સુધી વાહનચાલકોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગાંધીનગર હાઈવેથી એરપોર્ટ રોડ અને સરદાર પટેલ રિંગ રોડ પરના મહત્વના જંક્શન એપોલો સર્કલ બે વર્ષ સુધી બંધ રાખવામાં આવશે. આ માર્ગ પરના તમામ વાહનોને ડાયવર્ઝન આપવામાં આવશે. આ માટે સર્કલના ચારેય તરફના રોડ પર ખાસ સર્વિસ રોડ તૈયાર કરવામાં આવ્યો છે. અહીંથી પસાર થતાં રોજના 1.24 લાખ વાહનોને બે વર્ષ સુધી ડાયવર્ઝન રૂટ પર પસાર થવું પડશે. કેબલ સ્ટેડ બ્રિજનું કામ શરૂ થઇ જશે જે પૂર્ણ થયા બાદ અંડરપાસ પણ બનાવવામાં આવશે. જેમાં બે વર્ષ સુધીનો સમય લાગશે. એપોલો સર્કલ પરથી પસાર થતાં વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યા ન નડે તે માટે ગાંધીનગર પોલીસ દ્વારા ડાયવર્ઝન રૂટ તૈયાર કરી દેવામાં આવ્યો છે, જે આજથી અમલી બનાવી દેવાયો છે. વૈષ્ણોદેવીની જેમ હવે સરદાર પટેલ રિંગ રોડ પર એપોલો જંક્શન ખાતે પણ થ્રી- લેયર ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ અમલી બનશે. અહીં હાલનો મુખ્ય માર્ગ ઉપરાંત કેબલ સ્ટેડ બ્રિજ અને અંડરપાસ એમ ત્રણ વ્યવસ્થા રહેશે. આ વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા નિવારવા માટે આ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ત્રણેક વર્ષ વિલંબ થયા બાદ હવે કેબલ સ્ટેડ બ્રિજ અને અંડરપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ એપોલો સર્કલ પર ટ્રાફિકના નિયમન માટે માર્ગ અને મકાન વિભાગ, પાટનગર યોજના વિભાગ, ગાંધીનગર મહાનગરપાલિકા, ગાંધીનગર પોલીસ અને ઔડાએ સંયુક્ત રીતે ડાયવર્ઝન રૂટ તૈયાર કર્યો છે. ડાયવર્ઝન માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ગાંધીનગરથી ભાટ સર્કલ સુધીના રોડ પર 1 કિલોમીટર લાંબો સર્વિસ રોડ ઉપરાંત સર્કલની ફરતે પણ સર્વિસ રોડ તૈયાર કરી દેવામાં આવ્યો છે. ગાંધીનગરના લોકો અમદાવાદમાં નરોડા, નિકોલ, વસ્ત્રાલ સહિતના વિસ્તારો તેમજ વડોદરા એક્સપ્રેસ હાઇવે તરફ જવા માટે હાલ એપોલો સર્કલથી રીંગરોડનો ઉપયોગ કરે છે. આ વિસ્તારમાં ડાયવર્ઝન રૂટ તૈયાર કરવામાં આવ્યો છે. પરંતુ ગાંધીનગરથી આ વિસ્તારોમાં જતા વાહનચાલકોને ગિફ્ટ સિટી અથવા લવારપુર થઇને નાના ચિલોડા તરફનો માર્ગ પસંદ કરવા ભલામણ કરવામાં આવી છે. જેથી વાહનચાલકોનો સમય પણ બચશે અને એપોલો સર્કલ પર ટ્રાફિકનું ભારણ ઘટશે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...