Thursday, January 22, 2026

અમદાવાદમાં વધુ એક આઈકોનિક રોડ, વિસત સર્કલથી ઝુંડાલ સુધી 79 કરોડના ખર્ચે આઈકોનિક રોડ બનાવાશે, જાણો વિશેષતા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં પ્રવેશવાની સીટી એન્ટ્રી તરીકે વિસત સર્કલથી ઝુંડાલ સુધી રુપિયા 79 કરોડના ખર્ચે આઈકોનિક રોડ બનાવવામાં આવશે.વિસત સર્કલથી ઝુંડાલ સુધી અંદાજે 3.5 કિલોમીટરના રોડને ડેવલપ કરવાનો તમામ ખર્ચ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરાશે.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મુજબ, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન તથા ઔડા દ્વારા આ રોડને ડેવલપ કરવા પાછળ થનારા કુલ ખર્ચ પૈકી ભાગે નીકળતી રકમ આપવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ચાંદખેડા વિસ્તારમાં વિસત સર્કલથી ઝુંડાલ સર્કલ સુધીના 3.5 કિલોમીટરના રોડને મ્યુનિ. આઈકોનિક રોડ રોડ બનાવશે. આ માટે 79.80 કરોડનું ટેન્ડર મંજૂર કરાયું છે. 60 મીટર પહોળા આ રોડ પર બીઆરટીએસ કોરિડોરની બંને બાજુ નવેસરથી 6 લેનનો રોડ બનાવાશે. અહીં એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સુધીના આઈકોનિક રોડની જેમ ઓન સ્ટ્રીટ પાર્કિંગ, મનોરંજન પ્રવૃત્તિ, સાઈકલ ટ્રેક, પ્લાન્ટેશન સાથેનો 2 મીટરનો ગ્રીન વોક-વે બનાવાશે. આ માટે પ્રતિ મીટર રસ્તો નિર્માણનો ખર્ચ રૂ.2.27 લાખ થશે.

વિસત સર્કલથી ઝુંડાલ સુધીના માર્ગને આઇકોનિક બનાવવા મગાવેલા ટેન્ડરમાં એપેક્ષ પ્રોટેક્ટ એલએલપીએ 31.40 ટકા વધુ વેલ્યુએશન કર્યું હતું. જેમાં 0.41નો ઘટાડો કરી 31 ટકા ઊંચા ટેન્ડરને મંજૂર રાખ્યું છે. 3.5 કિ.મી.નો રસ્તો બનાવવા આટલી મોટા ખર્ચને જસ્ટીફાઇ કરતાં અધિકારીઓએ નોંધ્યું કે, 100 કિમી વિસ્તારમાંથી ક્વોરીમાંથી ગુણ‌વત્તાયુક્ત મટીરિયલ લવાશે. તંત્રએ દાવો કર્યો છે કે, રસ્તા સિવાય ફૂટપાથ, ગાર્ડન, સ્ટ્રીટ, આરસીસી પ્રિકાસ્ટની કામગીરીનો ખર્ચ વધુ થાય તેમ છે.

રોડની બંને બાજુ સાઇકલ ટ્રેક.
5 મીટર પહોળો સર્વિસ રોડ .
ઓનસ્ટ્રીટ પાર્કિંગ સુવિધા.
પ્લાન્ટેશન સાથેનો ગ્રીન વોકવે.
વેન્ડિંગ ઝોન, બેઠક માટે ગબેજો, બેન્ચીસ, સ્કલ્પચર્સ, લેન્ડસ્કેપિંગ, પ્લાન્ટેશન હશે.
મનોરંજક પ્રવૃત્તિનો વિસ્તાર.
ફૂડ, કિઓસ્ક અને મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ.
આધુનિક બસ સ્ટોપ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ બીન, લાઇટિંગ, પોલ, થીમ લાઇટિંગ પણ હશે.
ફૂડ સ્ટોલ, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ અને આકર્ષક બેઠક વ્યવસ્થા હશે

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...