Saturday, January 24, 2026

રિવરફ્રન્ટ હિટ એન્ડ રન અકસ્માત, મહિલા પોલીસકર્મીને ઉડાવનાર કારચાલક મહિલા નીકળી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર હિટ એન્ડ રન અકસ્માતમાં મહિલા કોન્સ્ટેબલનું મૃત્યુ થયું હતું.અજાણ્યો કારચાલક મહિલા કોન્સ્ટેબલના એકટીવાને ટક્કર મારી ફરાર થઈ જતા તેઓ નીચે પટકાયાં હતા.શરીરે ગંભીર ઇજાઓ થવાના કારણે મહિલા કોન્સ્ટેબલનું મૃત્યુ થયું હતું.આ અંગે ઝોન-2 LCB એ 20 કિમીના રૂટના સીસીટીવી ફૂટેજ તપાસીને કારચાલક સૃષ્ટિ માલુંસરે નામના મહિલાની ધરપકડ કરી છે.આરોપી મહિલા અકસ્માત બાદ પોતાના ઘરે નાસી ગયા હતા.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ખાડિયા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા શારદાબેન ડાભી ગુરુવારે મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બીએપીએસ સંસ્થાના કાર્યક્રમના પોલીસ બંદોબસ્તમાં ગયા હતા.બંદોબસ્ત પૂર્ણ કરી પોતાનું એકટીવા લઈને ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ પરથી તેઓ પસાર થતા હતા ત્યારે એક કારચાલક પાછળથી પૂરપાટ ઝડપે આવ્યો હતો અને શારદાબેનના એકટીવાને ટક્કર મારી હતી. ટક્કર વાગતાની સાથે તેઓ રોડ ઉપર પડ્યા હતા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. તેઓને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે આરોપીને શોધવા આ વિસ્તારના 20 કિલોમીટર એરિયાના 150થી વધુ સીસીટીવી ચકાસ્યા હતા. જેને આધારે પોલીસે સ્વિફ્ટ ડિઝાયર કાર સાથે આરોપી સૃષ્ટિ માલસુરેની ધરપકડ કરી હતી.

આ બનાવ અંગે ફરાર આરોપીની શોધખોળ માટે ઝોન 2 ડીસીપીમાં LCB સ્કોડ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી હતી.ત્યારે પોલીસ દ્વારા 20 કિલોમીટર સુધીના રૂટના અલગ અલગ 150 થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. તે દરમિયાન ગાડીના નંબરના આધારે પોલીસ સ્વિફ્ટ ડિઝાઇર ગાડી ચાલક મહિલા સૃષ્ટિ માલુંસરેના ઘરે પહોંચી હતી.આરોપી શહેરના ઇસનપુર વિસ્તારમાં રહેતા હતા.બનાવના દિવસે તેઓ એરપોર્ટ પર પોતાના સંબંધીને મૂકીને પરત ફરી રહ્યા હતા.તે દરમિયાન તેમણે મહિલા કોન્સ્ટેબલને પોતાની કાર વડે ટક્કર મારી હતી.ટક્કર માર્યા બાદ તેઓ પોતાની ગાડી થોડી આગળ મૂકીને પરત જોવા માટે પણ આવ્યા હતા. પરંતુ મહિલા કોન્સ્ટેબલને ગંભીર ઈજા થઈ હોવાથી તેઓ ગભરાઈ ગયા હતા અને પોતાના ઘરે જતા રહ્યા હતા.પોલીસે આરોપીની તેમના ઘરેથી ધરપકડ કરી છે અને ટ્રાફિક પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...