Monday, February 16, 2026

નારણપુરામાં માસીની દીકરી ભાઈના ઘરેથી 8.10 લાખના દાગીના ચોરી ફરાર

spot_img
Share

અમદાવાદ: અમદાવાદના નારણપુરા વિસ્તારમાં લોહીના સંબંધોને લાંછન લગાડતી એક ઘટના સામે આવી છે. અહીં એક યુવતીએ પોતાના જ માસીના દીકરાના ઘરે મહેમાન બનીને આવી, વિશ્વાસનો લાભ ઉઠાવી 8.10 લાખની કિંમતના સોનાના દાગીના પર હાથફેરો કર્યો છે. કપડાં બદલવાના બહાને બેડરૂમમાં ઘૂસીને આ ચોરીને અંજામ આપવામાં આવ્યો હોવાની ફરિયાદ નારણપુરા પોલીસ મથકે નોંધાઈ છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નારણપુરામાં આવેલા શુભલક્ષ્મી ટાવરમાં રહેતા જીનલભાઈ શાહ, જેઓ વ્યવસાયે વીમા એજન્ટ છે, તેમના ઘરે ગત 8 ફેબ્રુઆરીએ તેમની માસીની દીકરી માનસી દોષી આવી હતી. માનસીએ શરૂઆતમાં પોતે આર્થિક મુશ્કેલીમાં હોવાનું જણાવી બે સોનાની વીંટી ગિરવે મૂકીને 70 હજારની મદદ માંગી હતી. જોકે, વીંટીનું વજન ઓછું હોવાથી જીનલભાઈના પરિવારે મદદ કરવાની ના પાડી વીંટી પરત આપી દીધી હતી.

થોડીવાર વાતચીત કર્યા બાદ માનસીએ જણાવ્યું કે, તેણે ભક્તિમાં જવાનું હોવાથી કપડાં બદલવા છે. આ બહાને તે બેડરૂમમાં ગઈ હતી. ઘણો સમય પસાર થઈ જવા છતાં તે બહાર ન આવતા પરિવારને શંકા ગઈ હતી. જોકે, થોડીવારમાં તે બહાર આવી અને “મારી રિક્ષા આવી ગઈ છે” તેમ કહી ઉતાવળે ત્યાંથી નીકળી ગઈ હતી.

ચોરીની આ ઘટનાની જાણ પરિવારને ચાર દિવસ બાદ થઈ હતી. જ્યારે જીનલભાઈની માતાએ કબાટ ખોલ્યો ત્યારે અંદરનો સામાન વેરવિખેર પડ્યો હતો. તપાસ કરતા જાણવા મળ્યું કે, કબાટમાંથી બે સોનાની બંગડી, એક મંગળસૂત્ર અને બે સોનાની વીંટી સહિત કુલ 8.10 લાખના દાગીના ગાયબ હતા.

પરિવારને ખાતરી થઈ ગઈ હતી કે બેડરૂમમાં કપડાં બદલવાના બહાને માનસીએ જ કબાટમાંથી દાગીના ચોર્યા છે. આ મામલે જીનલભાઈએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં માનસી દોષી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપી યુવતીની શોધખોળ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...