Friday, March 13, 2026

અમદાવાદમાં દિવસભર ધીમી ધારે વરસાદ, રજા હોવાથી લોકોએ માણી મજા, જાણો ક્યા કેટલો પડ્યો વરસાદ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં બપોર બાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. બપોરે ધીમી ધારે વરસાદ શરૂ થયા બાદ વરસાદે જમાવટ કરી હતી. સવારે 10 વાગ્યા બાદ અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. જો કે રવિવાર હોવાનાં કારણે લોકો મોજ માણવા માટે નિકળી ગયા હતા. વરસાદનો આનંદ ઉઠાવ્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રવિવારે વહેલી સવારથી અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ સર્જાયેલું હતું. અમદાવાદમાં બપોર બાદ શરૂ વરસાદ શરૂ થયો હતો. સેટેલાઈ, ઈસ્કોન, બોડકદેવ, વસ્ત્રાપુરમાં વરસાદ વરસ્યો હતો. ઈનકમ ટેક્ષ ચાર રસ્તા , વાડજ , નારણપુરા , શાહપુર , કાલુપુર , નરોડા, નારોલમાં વરસાદ પડી રહ્યો છે. વરસાદ શરૂ થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.અંદાજે 1 ઈંચ જેટલા વરસાદમાં જ પ્રશાનના પ્રિમોન્સૂન પ્લાનની પોલ ખુલી ગઈ છે. ખાસ કરીને પૂર્વમાં જશોદાનગરથી એસપી રિંગ રોડ તરફ જવાના રસ્તા પર ચારેય તરફ પાણી જ પાણી જોવા મળ્યું હતું. જાણે કે રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો આજે અમદાવાદમાં જોવા મળ્યા હતા.

શહેરના પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે.અમદાવાદમાં વરસાદી આંકડાની વાત કરવામાં આવે તો… વટવા, કોતરપુરમાં 2 ઈંચથી વધુ વરસાદ,નરોડા, મેમ્કોમાં 1 ઈંચથી વધુ વરસાદ,વિરાટનગર, નિકોલમાં 1 ઈંચથી વધુ વરસાદ,રામોલમાં 1 ઈંચ વરસાદ,બોપલ, ગોતા, ઓઢવમાં અડધા ઈંચથી વધુ વરસાદ,ઉસ્માનપુરા, દુધેશ્વર, રાણીપમાં અડધા ઈંચથી વધુ વરસાદ, સરખેજ, રાયખડમાં અડધા ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ભરાયું પાણી ભરાયા છે. માધવ સ્કૂલ સામે ભરાયું ઘુંટણ સમું પાણી ભરાયા છે. રોડ રસ્તા પર પાણી ભરાવાની સમસ્યા યથાવત છે. રસ્તે વરસાદી પાણી ભરાતા લોકોમાં હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ અમદાવાદ જશોદાનગર પુનિત ક્રોસિંગ પાસે પાણી ભરાયા, ગોદરેજ ગાર્ડન સિટીમાં પાણી ભરાયા, જગતપુર,ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તારમાં પાણી ભરાયા,ખોરજ બ્રિજ પાસે વરસાદી પાણી ભરાયા, વૈષ્ણદેવી સર્કલ પાસે પાણી ભરાયા, સરખેજથી વૈષ્ણોદેવી તરફ જતા સર્વિસ રોડ પર ઘૂંટણ સમા પાણી ભરાયા છે. શહેરમાં પાણી ભરાવાના કારણે વાહન ચાલકો પરેશાન થયા છે.

ઉલ્લેખનીય છે કે હાલ રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. ચોમાસા શરૂઆત થતા જ મેઘરાજાએ ધમકેદાર બેટીંગ કરી છે. ભારે વરસાદને કારણે રાજ્યના ઘણા જિલ્લાઓમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સર્જાઈ છે. જેના કારણે લોકોનું જનજીવન પણ ખોરવાયું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...