Tuesday, January 13, 2026

અમદાવાદના શિક્ષણ વિભાગના મોટા સમાચાર, DEO કચેરી પૂર્વ અને પશ્ચિમ ભાગમાં વહેંચાશે

spot_img
Share

અમદાવાદ: શિક્ષણ વિભાગ દ્વારા અમદાવાદમાં બે અલગ અલગ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી બનાવવાના મોટા સમાચાર સામે આવ્યા છે. જેને લઈને શિક્ષણ વિભાગે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. બે DEO એટલે કે અમદાવાદ શહેરમાં પૂર્વ વિસ્તાર અને પશ્ચિમ વિસ્તારમાં નદીની આ પાર અને નદીની પેલે પાર એમ બે અલગ અલગ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી બનશે. DEO કચેરીનું વિભાજન થતાં આગામી સમયમાં અમદાવાદમાં વધુ એક ડીઈઓની પણ નિમણૂક થઈ શકે છે.

અમદાવાદના શિક્ષણ વિભાગના મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદને હવે મળશે નવી DEO કચેરી. શહેરમાં આગામી સમયમાં અમદાવાદ પશ્ચિમ અને પૂર્વ DEO કચેરી કાર્યરત થશે. શિક્ષણ વિભાગે અમદાવાદ શહેરના EO પાસેથી પૂર્વ વિસ્તારની શાળાઓની વિગતો માંગી છે. બંને વિસ્તારની નવી DEO કચેરી ખુલતા વાલીઓને દૂર સુધી નહીં જવું પડે.જેનો સીધો ફાયદો વિદ્યાર્થીઓ અને વાલીઓને થશે. પહેલા પૂર્વ વિસ્તારની શાળાઓએ શાળાને લગતી કોઈ પણ ફરિયાદ કે રજૂઆતને લઈને પશ્ચિમ વિસ્તારમાં કલાકોનો સમય બગાડીને આવવું પડતું હતું. જોકે હવે પૂર્વ વિસ્તારમાં જ DEO ઓફિસ બનતા પશ્ચિમ વિસ્તારના ધક્કા નહીં ખાવા પડે.

તો ઘણી વાર એક જ કેમ્પસમાં આવતી સ્કૂલમાં બે DEO કચેરી આવતી હોવાથી કેટલાક નીતિ વિષયક નિર્ણયોમાં પણ ગૂંચવણ પેદા થતી હોય છે. જેથી સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, અમદાવાદ શહેર DEO કચેરીને પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વહેંચવાનું અત્યારે આયોજન કરાયું છે. બે DEO કચેરી થતાં નવા એક વર્ગ-1ના અધિકારી તેમજ અન્ય વર્ગ-2થી લઈને ક્લાર્ક સુધીના સ્ટાફ માટેનું નવુ મહેકમ પણ ઊભુ કરવું અનિવાર્ય થશે.

શાળાને લગતી કોઈ ફરિયાદ કે રજૂઆત હોય તો ડ્રાઇવઇન સુધી લાંબા થવું પડતું હતું તે મુશ્કેલી હવે નહીં પડે. અમદાવાદ શાળા સંચાલક મંડળે સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. શાળા સંચાલક મંડળે જણાવ્યું કે અમદાવાદ શહેર અને ઔડાનો વિસ્તાર વધતા DEO નું ભારણ ઘટાડાશે.DEO કચેરીનું વિભાજન થતાં આગામી સમયમાં અમદાવાદમાં વધુ એક DEO ની પણ નિમણૂક થઈ શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....