Wednesday, March 11, 2026

અમદાવાદીઓને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ ! સિક્સલેન અને ઓવરબ્રિજ સાથે SP રિંગરોડની થશે કાયાપલટ

spot_img
Share

અમદાવાદ : ઔડા દ્વારા સરદાર પટેલ રિંગરોડને સિક્સલેન બનાવવામાં આવશે. ઔડાની મળેલી બોર્ડ બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ રિંગરોડ 60 મીટરની પહોળાઈ છે. હવે આ ચાર માર્ગીય રોડને 6 લેન બનાવવામાં આવશે. પ્રથમ તબક્કામાં 37 કિલોમીટર સિક્સ લેન્ રોડ બનશે અને બીજા તબક્કામાં 39 કિલોમીટરનો રોડ ડેવલોપ કરવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઔડાની મળેલી બોર્ડ બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.ઔડા દ્વારા રીંગ રોડ સિક્સલેન કરવામાં આવશે.હાલ રીંગરોડ 60 મીટર ની પહોળાઈ અને સાત કિલોમીટર ની લંબાઈ ધરાવે છે હવે આ ચાર માર્ગીય રોડને 6 લેન બનાવવામાં આવશે. પ્રથમ તબક્કામાં 37 કિલોમીટર સિક્સ લેન્ રોડ બનશે અને બીજા તબક્કામાં 39 કિલોમીટરનો રોડ ડેવલોપ કરવામાં આવશે. હયાત સર્વિસ રોડ જે ટુ લેન છે તે મોટો કરી ફોર લેન કરવામાં આવશે..છ નેશનલ હાઇવે તથા 11 જેટલા નાના મોટા સ્ટેટ હાઇવે સાથે રીંગરોડ જોડાયેલ છે.

AMCનાં ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, એસપી રીંગ રોડ પર વધતા ટ્રાફિક ભારણને લઈ એસપી રિંગ રોડને સિક્સલેન કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે. તેમજ ટ્રાફિક ભારણ ઘટે તે પ્રમાણે આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમજ સાબરમતી નદી પર ભાટ ગામ પાસે પણ બે નવા રિવર બ્રિજ બનાવવામાં આવનાર છે. તેમજ ત્રાગડ પાસનાં અંડર પાસને મોટો કરી બે લેનનો વધારવામાં આવશે. તેમજ નાના ચિલોડા, ભાટ ગામ, અસલાલી પાસે અંડરપાસ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

SP રીંગરોડ પરથી પ્રતિદિન એક લાખ જેટલા વાહનો પસાર થાય છે ત્યારે મોટી સંખ્યામાં લોકો ને ફાયદો થશે. ઔડા દ્વારા 2200 કરોડના ખર્ચે આ કામગીરી કરવામાં આવશે તદુપરાંત શહેરમાં આવેલા ભાટ અને ચિલોડા સર્કલના ટ્રાફિકને નિવારણ કરવા માટે થ્રીલેન્ડ બ્રિજની બાજુમાં બીજા અન્ય બે લાઈન બ્રિજ બનાવવામાં આવશે.

સરદાર પટેલ (SP ) રિંગ રોડ પર દિવસ દરમિયાન અંદાજિત એક લાખ જેટલાં વાહનો પસાર થતાં હોય છે. SP રિંગ રોડ પર 6 નેશનલ હાઈવે તથા 11 જેટલા નાના-મોટા સ્ટેટ હાઈવે સાથે જોડાણ થાય છે. રિંગ રોડ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને અમદાવાદ સાથે જોડતો મુખ્ય માર્ગ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...