Sunday, January 25, 2026

અમદાવાદીઓને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ ! સિક્સલેન અને ઓવરબ્રિજ સાથે SP રિંગરોડની થશે કાયાપલટ

spot_img
Share

અમદાવાદ : ઔડા દ્વારા સરદાર પટેલ રિંગરોડને સિક્સલેન બનાવવામાં આવશે. ઔડાની મળેલી બોર્ડ બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ રિંગરોડ 60 મીટરની પહોળાઈ છે. હવે આ ચાર માર્ગીય રોડને 6 લેન બનાવવામાં આવશે. પ્રથમ તબક્કામાં 37 કિલોમીટર સિક્સ લેન્ રોડ બનશે અને બીજા તબક્કામાં 39 કિલોમીટરનો રોડ ડેવલોપ કરવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઔડાની મળેલી બોર્ડ બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.ઔડા દ્વારા રીંગ રોડ સિક્સલેન કરવામાં આવશે.હાલ રીંગરોડ 60 મીટર ની પહોળાઈ અને સાત કિલોમીટર ની લંબાઈ ધરાવે છે હવે આ ચાર માર્ગીય રોડને 6 લેન બનાવવામાં આવશે. પ્રથમ તબક્કામાં 37 કિલોમીટર સિક્સ લેન્ રોડ બનશે અને બીજા તબક્કામાં 39 કિલોમીટરનો રોડ ડેવલોપ કરવામાં આવશે. હયાત સર્વિસ રોડ જે ટુ લેન છે તે મોટો કરી ફોર લેન કરવામાં આવશે..છ નેશનલ હાઇવે તથા 11 જેટલા નાના મોટા સ્ટેટ હાઇવે સાથે રીંગરોડ જોડાયેલ છે.

AMCનાં ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, એસપી રીંગ રોડ પર વધતા ટ્રાફિક ભારણને લઈ એસપી રિંગ રોડને સિક્સલેન કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે. તેમજ ટ્રાફિક ભારણ ઘટે તે પ્રમાણે આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમજ સાબરમતી નદી પર ભાટ ગામ પાસે પણ બે નવા રિવર બ્રિજ બનાવવામાં આવનાર છે. તેમજ ત્રાગડ પાસનાં અંડર પાસને મોટો કરી બે લેનનો વધારવામાં આવશે. તેમજ નાના ચિલોડા, ભાટ ગામ, અસલાલી પાસે અંડરપાસ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

SP રીંગરોડ પરથી પ્રતિદિન એક લાખ જેટલા વાહનો પસાર થાય છે ત્યારે મોટી સંખ્યામાં લોકો ને ફાયદો થશે. ઔડા દ્વારા 2200 કરોડના ખર્ચે આ કામગીરી કરવામાં આવશે તદુપરાંત શહેરમાં આવેલા ભાટ અને ચિલોડા સર્કલના ટ્રાફિકને નિવારણ કરવા માટે થ્રીલેન્ડ બ્રિજની બાજુમાં બીજા અન્ય બે લાઈન બ્રિજ બનાવવામાં આવશે.

સરદાર પટેલ (SP ) રિંગ રોડ પર દિવસ દરમિયાન અંદાજિત એક લાખ જેટલાં વાહનો પસાર થતાં હોય છે. SP રિંગ રોડ પર 6 નેશનલ હાઈવે તથા 11 જેટલા નાના-મોટા સ્ટેટ હાઈવે સાથે જોડાણ થાય છે. રિંગ રોડ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને અમદાવાદ સાથે જોડતો મુખ્ય માર્ગ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...